હવે, હું લોકસભા ચૂંટણી નહીં લડું: મનસુખ વસાવા
ભરૂચ લોકસભા મતક્ષેત્રનું છેલ્લા પાંચ ટર્મથી પ્રતિનિધિત્વ કરતા સાંસદ મનસુખ વસાવાને આગામી ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મળવાની શક્યતા નહીંવત્ હોય તેવું જાણી ગયેલા વસાવાએ સામેથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો. પ્રદેશ ભાજપ મહામંત્રીને આ બાબતે પત્ર લખી તેમણે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારમાં પ્રધાનપદેથી મનસુખ વસાવાને દૂર કરવામાં આવ્યા ત્યારથી તેમણે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો હોય તેમ જાહેરમાં નિવેદનો શરૂ કર્યા હતાં. કેન્દ્રમાં પોતાનો એક સાંસદ ઓછો થાય અને દક્ષિણ ગુજરાતમાં વિધાનસભાની બેઠકો ઓછી થાય એ ડરથી ભાજપે છાશવારે બળવાખોરી કરનારા સાંસદ વસાવાને સસ્પેન્ડ કરવાનું તો દૂર રહ્યું નોટિસ આપવાનું પણ ટાળ્યું હતું. આ બંને સ્થિતિઓ વચ્ચે હવે સાંસદને ટિકિટ મળવાની જ નથી ત્યારે તેમણે સામેથી પત્ર લખીને ભરૂચ બેઠક માટે અન્યને ઉમેદવાર બનાવવાનું સૂચન કરતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
