સી.આર.પાટીલના પ્રયાસોથી વીર નર્મદ યુનિવર્સિટીને કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરનું ઇન્સ્પેકશન સમયસર મળ્યું

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ચાલતા આર્કિટેક્ચરના અભ્યાસક્રમો માટે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર નું ઇન્સ્પેક્શન થાય એ અનિવાર્ય પ્રક્રિયા છે. પરંતુ 2019 પછીના વર્ષથી કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર તરફથી વીર નર્મદ યુનિવર્સિટીમાં ઇન્સ્પેકશન થઈ શક્યું ન હતું. ચાલુ વર્ષે પણ ઇન્સ્પેક્શનના અભાવે આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહી જોખમાય તેવી સ્થિતિ ઉદ્ભવી હતી. જેને લઇને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.એન. ચાવડાએ સાંસદશ્રી સી.આર.પાટીલને રજૂઆત કરીને નવી દિલ્હી ખાતે આર્કિટેક્ચર કાઉન્સિલમાં દરમિયાનગીરી કરવા માટે વિનંતી કરી હતી.
સાંસદ શ્રી સી.આર.પાટીલએ નવી દિલ્હી ખાતે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરના અધિકારીઓ સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્શન અંગે ચર્ચા-વિચારણા કરીને સત્વરે વિદ્યાર્થીઓના હિતમાં કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરનું ઇન્સ્પેક્શન મળે એ માટે રજૂઆતો કરી હતી. જેની ફળશ્રુતિ રૂપે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર ના ઈન્સ્પેક્શન નું શેડ્યૂલ મળી ચૂક્યું છે. અને જેના કારણે ચાલુ વર્ષે થનારા આર્કિટેક્ચર અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયામાં યુનિવર્સિટી સંચાલિત અભ્યાસક્રમો ને માન્યતા મળી શકશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
