સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો ભારે હોબાળો : PM મોદી ભાષણ પૂરી કરી શક્યા નહીં

ચોમાસુ સત્રના પહેલા જ દિવસે વિપક્ષી સાંસદોના વ્યવહારથી વડાપ્રધાન નરેન્દ્ર દુ:ખી થઈ ગયા છે. લોકસભામાં નવા સાંસદોના શપથગ્રહણ સાથે કાર્યવાહી શરુ થઈ હતી. ત્યારપછી વડાપ્રધાન મોદી ઉઠ્યા અને પોતાના મંત્રીઓનો પરિચય આપવાની શરુઆત કરી. આ દરમિયાન વિપક્ષ તરફથી હોબાળો શરુ કરવામાં આવ્યો. વડાપ્રધાને કહ્યું કે તે વિચારીને આવ્યા હતા કે સભામાં ઉત્સાહનું વાતાવરણ હશે, પરંતુ આવુ ના થયું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ જણાવ્યું કે, તેમણે પાછલા 24 વર્ષમાં આવું નથી જોયું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષને ફટકાર લગાવી.
વિપક્ષના હોબાળા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેં વિચાર્યુ હતું કે આજે સભામાં ઉત્સાહનું વાતાવરણ હશે, કારણકે મોટી સંખ્યામાં મહિલા સાંસદ, દલિત ભાઈ, આદિવાસી, ખેડૂત પરિવારના સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તેમનો પરિચય કરવાનો આનંદ હશે. પરંતુ કદાચ દેશના દલિત, મહિલા, ઓબીસી, ખેડૂતોના દીકરા મંત્રી બન્યા તે વાત અમુક લોકોને રાસ ના આવી. માટે તેમનો પરિચય પણ નથી આપવા દેતા.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ વિપક્ષને ફટકાર લગાવી. તેમણે જણાવ્યું કે, પાછલા 24 વર્ષના સંસદના ઈતિહાસમાં તેમણે આવુ ક્યારેય નથી જોયું. સંસદની પરંપરાઓ તૂટી રહી છે. સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષી સાંસદોની તેમના વ્યવહાર માટે ટીકા કરી. વિપક્ષના સાંસદોના સતત હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
