23મી એપ્રિલે ભલભલાની ગરમી કાઢી નાખવાની છે: નરેન્દ્ર મોદી
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારના અંતિમ અઠવાડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ચૂંટણી સભાઓ યોજીની કૉંગ્રેસ અને રાહુલ ગાંધી તથા નહેરુ ખાનદાન પર આકરાં શાબ્દિક પ્રહારો કરીને આગામી 23મી એપ્રિલે ગુજરાતની 26 બેઠકોના યોજાનારા મતદાનમાં મોટા પાયે મતદાન કરીને ભલભલાની ગરમી કાઢી નાખવાની લોકોને અપીલ કરી હતી. તેમણે હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદ એમ ત્રણેય ચૂંટણી સભાઓમાં પુલવામા, ઉરી તેમ જ એર સ્ટ્રાઇકના મુદ્દે કૉંગ્રેસ સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.

ઉત્તર ગુજરાતમા હિંમતનગરમાં પહેલી સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 23મી એપ્રિલે ગમે તેટલી ગરમી હોય પણ ગુજરાતીઓએ જંગી મતદાન કરીને ભલભલાની ગરમી કાઢી નાખવાની છે. વહેલી સવારથી જ મતદાન શરૂ થાય અને તડકો વધે તે પહેલાં મહત્તમ મતદાન કરજો. 2019ની ચૂંટણી ભારતના સન્માન અને સ્વાભિમાનની લડાઈ છે, ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટેની લડાઈ છે. આ ચૂંટણી કોણ જીતે અને કોણ હારે તેના માટે નથી તમારા સંતાનોનું ભવિષ્ય કેવું બને તેનો નિર્ણય આ ચૂંટણીમાં આપ સૌએ કરવાનો છે.
મોદીએ કૉંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં કૉંગ્રેસ દ્વારા ક્ધિનાખોરી રાખીને અમિતભાઈ શાહ સહિત અનેક પોલીસ અધિકારીઓ પર ખોટા કેસ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. દસ વર્ષ સુધી ગુજરાતને ખેદાનમેદાન કરવા માટે જે કંઈ પણ થઈ શકે તે કૉંગ્રેસે કર્યું. શું આવા લોકોને દેશમાં રાજ કરવાની તક આપવી જોઈએ? જે લોકો જામીન પર બહાર છે, પાંચ વર્ષમાં આ ભ્રષ્ટ પરિવારને જેલના દરવાજા સુધી લઈ ગયો છું અને હવે બીજા પાંચ વર્ષ માટે આશીર્વાદ આપો તો આ પરીવારને જેલના સળિયા પાછળ જવાના દિવસો પણ આવી શકે છે. આજે કૉંગ્રેસ ગાલીબાજ થઈ ગઈ છે. જૂઠું બોલવું અને ગાળો આપવી એ કૉંગ્રેસનો રોજનો કાર્યક્રમ બની ગયો છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મને ગાળો આપવામાં કૉંગ્રેસે કોઈ કસર બાકી રાખી ન હતી.
2014માં ચાવાળો અને હવે આ વખતે ચોકીદાર ચોર છે તેવા શબ્દોનો ઉપયોગ કૉંગ્રેસ કરી રહી છે. જો ભૂલેચૂકે કૉંગ્રેસ આવશે તો ગુજરાતને ખેદાનમેદાન કરી દેશે. ચાર-ચાર પેઢીઓ નેહરુથી રાહુલ સુધી ગરીબી હટાવો…ગરીબી હટાવો…ના નારા આપી રહ્યા છે. કૉંગ્રેસ જ્યારે દેશમાંથી હટી જશે ત્યારે ગરીબી આપોઆપ હટી જશે. આજે ભારત વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે. 2013માં ભારતનું અર્થતંત્ર વિશ્ર્વમાં અગિયારમાં નંબર પર હતું અને આજે ફક્ત પાંચ વર્ષના ટૂંકા ગાળામાં જ ભારતનું અર્થતંત્ર વિશ્ર્વમાં છઠ્ઠા સ્થાને પહોંચી ચૂક્યું છે. દુનિયાના પ્રથમ ત્રણ સૌથી મોટા અર્થતંત્રમાં પહોંચવાનું લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીની સરકારે નિધાર્રિત કર્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


