આજે ગુજરાતમાં નરેન્દ્ર મોદી બે સ્થળોએ સભા સંબોધશે
ગુજરાતમાં આગામી તા. 23મી એપ્રિલે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા રાજ્યના અનેક જિલ્લાઓમાં ચૂંટણી સભાઓ સંબોધવાની દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓ રાજ્યના ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી દીધી છે. બુધવારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ અને સોનગઢમાં ભાજપની જંગી ચૂંટણીસભાને સંબોધશે. નરેન્દ્ર મોદીનો લોકસભાનીચૂંટણીના પ્રચારનો વ્યસ્ત શિડયુલને કારણે આણંદ લોકસભા મતક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થયો હતો જ્યારે નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 1300 જેટલા જવાનો ખડે પગે ફરજ બજાવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એક દિવસના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. જૂનાગઢમાં એક જાહેરસભાને સંબોધ્યા બાદ બપોરે સોનગઢમાં પણ એક જાહેરચૂંટણીસભા સંબોધશે. આ સિવાય સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં પણ પીએમ મોદી સભાઓ ગજાવશે. પીએમ મોદી ગુજરાતના મહેમાન બનવાના હોવાથી તેમને આવકારવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે પીએમ મોદી જે સ્થળે જનસભાઓ સંબોધવાના છે તે જગ્યાએ રાજ્યના ગૃહ ખાતા દ્વારા 1300 જેટલા પોલીસ કર્મચારીઓને સઘન સુરક્ષાના બંદોબસ્તમાં ખડે પગે ચૂંટણી બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ આગામી તા. 17મી એપ્રિલે તેઓ આણંદ સહિત સૌરાષ્ટ્રમાં પ્રચાર અભિયાનને આગળ ધપાવશે એમ પ્રદેશ ભાજપ તરફથી જણાવાયુ હતું. અગાઉ આણંદ લોકસભા મતક્ષેત્રના ઉમેદવાર મિતેષ પટેલના પ્રચાર માટે વલ્લભ વિદ્યાનગરમાં 10 એપ્રિલની સવારે વલ્લભ વિદ્યાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજવાનો કાર્યક્રમ તૈયાર થયો હતો, પરંતુ તેમના અત્યંત વ્યસ્ત શિડયુલને કારણે હવે આ સભા તા.17મી એપ્રિલ પર મુકરર કરવામાં આવ્યો હતી. વડા પ્રધાન મોદી તા.17મી એપ્રિલે મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભાજપના પ્રચાર અભિયાનને આગળ વધારે તેના કાર્યક્રમો તૈયાર થઈ રહ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
