કૉંગ્રેસે આસામમાં ઘૂસણખોરીની સમસ્યા ઘૂસાડી છે: મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં એક રેલીને સંબોધતાં કહ્યું હતું કે કૉંગ્રેસ સરકારની નીતિના કારણે આસામ અને ઈશાનનાં રાજ્યો વર્ષોથી ઘૂસણખોરીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
તેમણે યુવા વર્ગને કહ્યું હતું કે તમારા પિતા-દાદા પાસેથી જાણો કે આસામનો કૉંગ્રેસે વારંવાર વિશ્ર્વાસઘાત કર્યો છે. દેશહિતની વિરુદ્ધ કામ કરનારાને આસામની જનતા ટેકો આપશે? એવો પ્રશ્ર્ન રેલીમાં કર્યો હતો. દેશની પ્રગતિથી કૉંગ્રેસ ખુશ નથી, તેઓ આસામના વિકાસની કાળજી શું લેવાના? એવો પ્રશ્ર્ન કર્યો હતો. ચૂંટણીમાં જનતાના સમર્થન માટે તેમણે અપીલ કરી હતી.
કૉંગ્રેસે હંમેશાં જનતાને છેતરી છે, પરંતુ તમારો ચોકીદાર ઘૂસણખોરી, આતંકવાદ અને ભ્રષ્ટાચાર સામે લડતો રહેશે. રાષ્ટ્રહિત માટે જનસંઘ અને પક્ષના ટોચના નેતા જેવા કે અટલ બિહારી વાજપેયીએ બંગલાદેશની આઝાદી દરમિયાન અવાજ ઉઠાવ્યો હતો.
સરકારની સિદ્ધિ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે ચાના બગીચામાં કામ કરતા લોકો માટે પીએમ શ્રમયોગી માન ધન યોજના તમારા ચોકીદારે શરૂ કરી છે. આ યોજના સાથે સંલગ્ન લોકોને 60 વર્ષ બાદ મહિને રૂ. 3000નું પેન્શન મળશે.
એનડીએ સરકાર આસામ કરાર બાબતમાં પ્રતિબદ્ધ છે અને છ કોમ્યુનિટીનો શિડ્યુલ્ડ ટ્રાઈબ દરજ્જો અપાશે એમ મોદીએ કહ્યું હતું. આઝાદીનાં 70 વર્ષ બાદ ફક્ત 40 ટકા પરિવારને વીજજોડાણ મળ્યા હતા અમારી સરકારે તમામને જોડાણ
આપ્યાં છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
