કઠોળના આયાતકારો, હોલસેલરો માટે રાહત જાહેર

Share On :

સરકારે કઠોળના આયાતકારોને સ્ટોક લિમિટમાંથી મુક્તિ આપી હતી. મિલરો અને હોલસેલરો માટેના નિયમો પણ હળવા બનાવવામાં આવ્યા છે. ફકત તુવર, અડદ, ચણા, મસૂર માટે ૩૧મી ઑકટોબર સુધી સ્ટોક લિમિટ અમલમાં રહેશે તેવું સરકારે સોમવારે બહાર પાડેલા એક જાહેરનામામાં કહ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઑફ ક્ધઝયૂમર અર્ફેસના વેબપોર્ટલ પર સ્ટોક જણાવવાનો રહેશે, તેવું જાહેરનામામાં કહેવામાં આવ્યું છે.

‘કઠોળના આયાતકારોને સ્ટોકલિમિટમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે ડિપાર્ટમેન્ટ ઑફ ક્ધઝયૂમર અર્ફેસના પોર્ટલ પર કઠોળનો સ્ટોક જાહેર કરવાનું ચાલુ રાખવાનું રહેશે.’

હોલસેલરો માટેની સ્ટોકલિમિટ ૫૦૦ ટન રહેશે, પણ કોઈ એક કઠોળનો ૨૦૦ ટનથી વધુ સ્ટોક રાખી શકાશે નહીં. મિલરો છ મહિનાનું ઉત્પાદન અથવા કુલ વાર્ષિક ક્ષમતાના પચાસ ટકા (જે પણ વધુ હોય) તેટલો સ્ટોક રાખી શકશે.

રિટેલરો માટેની સ્ટોકલિમિટ યથાવત્ પાંચ ટન રાખવામાં આવી છે.

બીજી જૂને સરકારે મગ સિવાયના તમામ કઠોળ પર સ્ટોક લિમિટ જાહેર કરી હતી. આયાતકારો અને હોલસેલરો પર ૨૦૦ ટનની અને રિટેલરો પર પાંચ ટનની સ્ટોકલિમિટ જાહેર કરવામાં આવી હતી. મિલરો પર છેલ્લા ત્રણ મહિનાનું ઉત્પાદન અથવા કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતાના ૨૫ ટકા (જે પણ વધુ હોય) તેટલી સ્ટોકલિમિટ રાખવામાં આવી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :