ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ
રાજયમાં મહિલાઓને સલામતી આપવાની અને બેટી બચાવો-બેટી પઢાવોના સૂત્ર આપનાર ભાજપની રાજય સરકાર મહિલાઓ અને બાળકીઓની સલામતીની ચિંતા કરતી નથી. સરકારી ખર્ચે માત્રને માત્ર મહિલા સંમેલનો યોજવા અને સૂત્રો આપવામાં શૂરી છે જયારે છેલ્લાં બે વર્ષમાં રાજયમાંથી ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ થઇ છે એવું જણાવીને કોંગ્રેસે મુખ્ય પ્રધાનને નિષ્ફળ પ્રધાન ગણાવ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે જે રીતે આંકડાઓ બહાર આવ્યા છે તેમાં ખાસ કરીને દીકરીઓ કેટલી છે તે તપાસનો વિષય છે. માનવ તસ્કરી રોકવા રાજય સરકાર સક્રિયતા દાખવે તે અત્યંત જરૂરી છે. બે વર્ષમાં રાજયમાં ૪,૯૮૯ બાળકો ગુમ થયાં છે. રાજય સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજયમાંથી ૪૨,૪૩૨ બાળકો ગુમ થયા છે તે પૈકી ૧૪,૮૮૧ બાળકો લાંબા સમયથી ગુમ છે, જયારે ૧૪,૩૦૧ વ્યકિતઓ ગુમ છે આ ગુમ વ્યકિતઓને શોધવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે.
રાજય સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજયમાંથી ૪૨,૪૩૨ બાળકો ગુમ થયા છે તે પૈકી ૧૪,૮૮૧ બાળકો લાંબા સમયથી ગુમ છે, જયારે ૧૪,૩૦૧ વ્યકિતઓ ગુમ
રાજયમાં અને દેશમાં ગુમ થયેલાં બાળકો, મહિલાઓ અંગે જાહેરહિતની અરજીમાં નામદાર સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૨-૧૩માં રાજયના મુખ્ય સચિવને રાજયમાંથી ગુમ થયેલા બાળકોની વિગતો રજૂ કરવા બે વખત નોટિસ ફટકારી હતી તેમ છતાં રાજય સરકારે વિગતો રજૂ કરી ન હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતાં ગુમ થયેલાં બાળકો અંગે જે તે સમયે આંકડા રજૂ કર્યા હતા. રાજયમાં ગુમ થયેલા બાળકો અંગે નામદાર સુપ્રીમ કોર્ટે વિવિધ રાજયોને આપેલા આદેશમાં આંતરરાજય સંકલન, રાજયમાં વિવિધ જિલ્લાઓમાં સંકલન, ગુમ થયેલાં બાળકોની વિગતો દર્શાવતી વેબસાઈટ, ગુમ થયેલાં બાળકો અંગેની હેલ્પ લાઈન સહિતની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. અમદાવાદ જેવા મોટા શહેરમાં બાળકો ગુમ થવા અંગે પીસીબીને જવાબદારી સોંપાઈ છે પણ કોઈ વાલી ગુમ થયેલા બાળક અંગે ફરિયાદ કરવા જાય તો પીસીબી તેમના ક્રાઈમ બ્રાંચના મિસિંગ ચાઈલ્ડ સેલમાં મોકલે છે. ક્રાઈમ બ્રાંચમાં જયારે વાલી પહોંચે તો તેમને પીસીબીમાં ધકેલવામાં આવે છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુમ થયેલાં બાળકો અંગે ૩૨ જેટલા પરીપત્રો કર્યા છે પણ તે માત્ર કાગળ પર છે. મિસિંગ ચાઈલ્ડ માટેની વેબસાઈટ પણ બરાબર કાર્યરત નથી તેમજ અપડેટેડ નથી, હેલ્પ લાઈન નંબર ૧૦૯૮ ઉપર કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. ચાર ઝોનમાં મિસિંગ ચાઈલ્ડ માટે વ્યવસ્થા તંત્રની જાહેરાત કરનાર ભાજપ સરકારમાં અન્ય જાહેરાતોની જેમ આ પણ જાહેરાત બની ગઈ છે.
રાજયમાં કિડની ચોર પકડાયા પછી રફુ ચક્કર થાય, બાળકોને વેંચી નાખવાની ગેંગ સક્રિયતાથી કામ કરતી હોઈ છતાં પોલીસને ખબર ન પડે અને સીબીઆઈ સમગ્ર બાબતે જયારે ધરપકડ કરે ત્યારે રાજયમાં બાળકોને ગુમ કરવામાં અને ખાસ કરીને દીકરીઓને ગુમ કરીને વેંચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ થાય છતાં રાજયના ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન સબ સલામતના દાવાઓ કરે તે કેટલે અંશે વાજબી? એવો સવાલ ઉઠાવીને તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન પાસે જવાબ માગ્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


