બૅંકના કર્મચારીઓની બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળની અસર વર્તાવાની શરૂ
પગારવધારા અંગેની મૅનેજમેન્ટ સાથેની બેઠકમાં સર્વાનુમતી સાધવામાં મળેલી નિષ્ફળતાને પગલે જાહેરક્ષેત્રની બૅંકના યુનિયનોએ આજથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ ને પગલે શુક્રવાર તા.31મી જાન્યુઆરીએ સવારથી જ ભારતના અર્થતંત્ર પર તેની અસર વર્તાવા પામી હતી. અનેક બેંકોમાં કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા હતા. બપોર બાદ અબજો રૂપિયાનું ક્લીયરીંગ નહીં જવાથી મોટી અસર સામે આવશે.

હળતાળને કારણે બૅંકની કામગીરી પર અમુક હદે અસર પડે એમ હોવાની એસબીઆઈ સહિતની અનેક બૅંકોએ ગ્રાહકોને જાણ કરી દીધી હોવા છતાં લાખો ગ્રાહકો સમગ્ર દેશમાં બેંક હડતાળથી અટવાયાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે.
સંસદના બજેટસત્ર અને વર્ષ ૨૦૨૧-૨૨ના કેન્દ્રીય બજેટ સાથે આવતીકાલ તા.1લી ફેબ્રુઆરીએ પણ હડતાળ હોઇ બેંક કર્મચારીઓ સામે રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.
ઑલ ઈન્ડિયા બૅંક ઑફિસર્સ કૉન્ફેડરેશન (એઆઈબીઓસી), ઑલ ઈન્ડિયા બૅક ઍમ્પ્લોઈસ અસોસિયેશન (એઆઈબીઈએ) અને નેશનલ ઑર્ગેનાઈઝેશન ઑફ બૅંક વર્કર્સ (એનઓબીડબ્લ્યુ) સહિત નવ બૅંકના યુનિયનોની મુખ્ય સંસ્થા યુનાઈટેડ ફૉરમ ઑફ બૅંક યુનિયન્સ (યુએફબીયુ)એ આ હડતાળની હાકલ કરી છે.
અગાઉ આ અઠવાડિયે મુખ્ય શ્રમ કમિશનર સાથેની બેઠક અનિર્ણીત રહી હોવાનું એઆઈબીઓસીના પ્રમુખ સુશીલકુમારે કહ્યું હતું.
જાહેરક્ષેત્રની બૅંકના કર્મચારીઓના પગારમાં સુધારણા કરવાનું નવેમ્બર ૨૦૧૭થી અનિણીર્ર્ત છે.
ઈન્ડિયન બૅંક્સ અસોસિયેશન (આઈબીએ) સાથેની ગુરુવારની બેઠક યુનિયનની માગણીઓને મામલે નિષ્ફળ ગઈ હોવાને કારણે હડતાળની હાકલ કરવામાં આવી હોવાનું એઆઈબીઈએના જનરલ સેક્રેટરી સી. એચ. વેંકટાચલમે કહ્યું હતું.
આઈબીએના જડ વલણે યુનિયનો પાસે હડતાળ સિવાયનો કોઈ જ વિકલ્પ ખુલ્લો રાખ્યો ન હોવાનું તેમણે કહ્યું હતું.
હડતાળને કારણે પડનારી અગવડો બદલ ગ્રાહકો અમને માફ કરે, પરંતુ બૅંક મેનેજમેન્ટ અને આઈબીએએ આ હડતાળ અમારા પર થોપી છે, એમ તેમણે કહ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


