CIA ALERT

ગુજરાત બોર્ડના SSC 2021 વિદ્યાર્થીઓના LCમાં ‘માસ પ્રમોશનથી પાસ’ લખાશે

Share On :

સરકારે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવાની જાહેરાત કર્યા બાદ તેમના પરિણામ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી.

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યા બાદ તેમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)માં માસ પ્રમોશનથી પાસ લખવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરી તેમના તાબાની સ્કૂલોને આ અંગે સૂચના આપવા તાકીદ કરાઈ છે.

વિદ્યાર્થીઓના ઓનલાઈન ગુણ મોકલવામાં બેદરકારી દાખવનારા શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવાયો છે. આ વર્ષે બોર્ડ દ્વારા ગુણ ચકાસણી કરવામાં આવનાર ના હોવાથી શાળાઓને ગુણ મોકલવામાં ખાસ તકેદારી રાખવાનું જણાવાયું છે.

સ્કૂલોને માર્ક મોકલવા માટેની સૂચના આપવામાં આવી છે કે સ્કૂલોએ માસ પ્રમોશનની ફોર્મ્યુલા પ્રમાણે, ગુણપત્રક તૈયાર કરી વિદ્યાર્થીના નામ, એપ્લિકેશન નંબરની સામે 80+20 ગુણ બોર્ડ કક્ષાના વિષયમાં દર્શાવાના રહેશે. દ્યારે શાળા કક્ષાના વિષયમાં 50+50+20 ગુણ અપલોડ કરવાના રહેશે.

RMAS સંચાલિત શાળાઓમાં વ્યવસાયલક્ષી વિષય ભણાવવામાં આવતો હોય તો 30+20 પ્રમાણે ગુણાંકન કરવાનું રહેશે અને 80+20 મુજબ ઓનલાઈન ભરવાનું રહેશે. ઓનલાઈન ગુણ અપલોડ કરવાની તમામ જવાબદારી શાળાના આચાર્યની રહેશે. જો કોઈ વિદ્યાર્થીના ગુણ ભરવામાં બેદરકારી ધ્યાનમાં આવશે કે બેદરકારીભર્યું ગુણાંકન કરવામાં આવશે તો તેની સામે શિસ્ત વિષયક કાર્યવાહી બોર્ડ દ્વારા કરાશે, તેમ જણાવાયું છે. શાળા દ્વારા ઓનલાઈન મૂકવામાં આવેલા ગુણ અને ગુણપત્રકમાં પ્રિન્ટ થયેલા ગુણ બાબતે કોઈ વિસંગતતા જણાય તો સ્કૂલે બોર્ડમાં રજૂઆત કરવાની રહેશે.

રજૂઆત કરતા ઓનલાઈન ભરેલા ગુણની પ્રિન્ટ, શાળા ગુણાંકન સંબંધિત તમામ દસ્તાવેજો અને વિદ્યાર્થીના ઓનલાઈન ભરાયેલા આવેદનપત્રની નકલ રજૂ કરવાની રહેશે. આ વર્ષે શાળા દ્વારા ગુણાંકન કરવામાં આવનાર હોવાથી ગુણ ચકાસણીની પ્રક્રિયા થશે નહીં.

ચાલુ વર્ષે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં રિમાર્ક્સના ખાનામાં ધોરણ 10ની પરીક્ષા માસ પ્રમોશનથી પાસ જાહેર થયેલા તેમ લખવાનું રહેશે. આમ, ધોરણ 10ના માસ પ્રમોશનથી પાસ થયેલા વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશન પાસ નહીં લખાય પરંતુ LCમાં માસ પ્રમોશન પાસ લખાઈને આવશે. ઉપરાંત પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીનું મૃત્યુ કે ઉમેદવાર સ્કૂલ છોડીને લિવિંગ સર્ટિફિકેટ લઈ ગયા હોય તો તે વિદ્યાર્થીનું આવેદનપત્ર રદ કરવા પાત્ર થશે. તેવા આવેદનપત્રની યાદી બનાવી તેમજ અસલ પ્રવેશિકા પર લાલ સહીથી રિમાર્ક કરી બોર્ડની કચેરીએ મોકલવાની રહેશે તેવી સૂચના પણ બોર્ડ દ્વારા અપાઈ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :