CBI સામે હાજર થવા કોલકાતા પોલીસ કમિશ્ચનરને સુપ્રીમ કોર્ટનો આદેશ
પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારને સુપ્રીમ કોર્ટમાં જોરદાર આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે શારદા ચીટફંડ કૌભાંડમાં પૂછપરછ માટે સીબીઆઈ સમક્ષ હાજર થવા માટે કોલકાતા પોલીસ કમિશ્રન રાજીવ કુમારને આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ થશે.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, રાજીવ કુમારની હાલ ધરપકડ નહીં થાય. બંગાળ સરકારના મુખ્યમંત્રી મમતા બેનરજી સીબીઆઈ વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસથી ધરણા પર બેઠા છે અને ત્યાંથી જ ફોન પર પોતાની સરકારનો વહીવટ ચલાવી રહ્યા છે.
શારદા ચીટફંડ કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સીબીઆઈની અરજી પર સુનાવણી દરમિયાન સીબીઆઈના પક્ષે એટર્ની જનરલ કે કે વેણુગોપાલે દલીલ રજૂ કરતા જણાવ્યું કે રાજ્ય સરકારે પોલીસ કમિશ્નરના વડપણ હેઠળ એસઆઈટીની રચના કરી હતી જેમના દ્વારા પુરાવા સાથે ચેડાં કરવામાં આવ્યા છે અને કૌભાંડની યોગ્ય તપાસ નથી થઈ.
સુપ્રીમ કોર્ટના આ આદેશને પગલે મમતાને એકરીતે આંચકો લાગ્યો છે. જો કે મમતાએ સુપ્રીમ કોર્ટના આદેશને સ્વીકારતા કહ્યું કે- કોઈ જ દેશમાં મોટો બોસ નથી. સુપ્રીમ કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશ્નરને સીબીઆઈની માનહાનીની અરજી પર નોટિસ પાઠવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


