CIA ALERT

જાણો એ IPS ઓફિસરને જેના માટે બંગાળની મમતા સરકારે મોદી સરકાર સામે ગુસ્તાખી કરી

Share On :

રાજીવ કુમાર (ફાઇલ ફોટો)

શારદા ચિટફંડ કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને સીબીઆઇ સામસામે આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે રવિવારની સાંજે કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચેલી સીબીઆઇ ઓફિસર્સની ટીમને કોલકાતા પોલીસે અટકાવી હતી અને તમામ ઓફિસર્સની અટકાયત પણ કરી હતી. ત્યારબાદ આ ઓફિસર્સને છોડી પણ મૂકવામાં આવ્યા હતા. જોકે આ બધા ડ્રામા દરમિયાન મમતા બેનર્જી પણ રાજીવ કુમારના ઘરે પહોંચ્યા હતા. તેમણે રાજીવ કુમાર માટે થઈને ભાજપ વિરુદ્ધ ધરણા કર્યા હતા. જાણો કોણ છે આ પોલીસ કમિશ્નર રાજીવ કુમાર અને મમતા બેનર્જી કેમ કરી રહ્યા છે તેમની તરફેણ.

રાજીવ કુમાર બંગાળના 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. હાલમાં તેઓ કોલકાતા પોલીસના વડા છે. રાજીવ કુમારને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશના ચંદૌસીના રહેવાસી છે. રાજીવ કુમારના પિતા આનંદ કુમાર ચંદૌસીની SM કોલેજમાં પ્રોફેસર હતા. જે બાદમાં તેમનો પરિવાર અહીં જ વસી ગયો હતો. રાજીવ કુમારે આ જ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે, પરંતુ બાદમાં તેઓ પશ્ચિમ બંગાળ ચાલ્યા ગયા હતા.

રાજીવ કુમાર હાલ શારદા ચિટફંડ તપાસના ઘેરામાં છે. તેમણે ચિટફંડની તપાસ માટે બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને લીડ કરી હતી. એવું કહેવામાં આવે છે કે આ તપાસ દરમિયાન ગરબડ કરવામાં આવી હતી. SITની સ્થાપના વર્ષ 2013માં કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ સાથે જોડાયેલા અનેક મહત્વની ફાઇલો અને દસ્તાવેજો ગાયબ છે. સીબીઆઈ આ ગુપ્ત થયેલી ફાઇલો અને દસ્તાવેજોને લઈને કમિશ્નરની પૂછપરછ કરવા માંગે છે. આ મામલે સીબીઆઈએ પોલીસ કમિશ્નરને ફરાર બતાવ્યા છે.

રાજીવ કુમાર બંગાળના 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. હાલમાં તેઓ કોલકાતા પોલીસના વડા છે. રાજીવ કુમારને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશના ચંદૌસીના રહેવાસી છે. રાજીવ કુમારના પિતા આનંદ કુમાર ચંદૌસીની SM કોલેજમાં પ્રોફેસર હતા. જે બાદમાં તેમનો પરિવાર અહીં જ વસી ગયો હતો. રાજીવ કુમારે આ જ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે, પરંતુ બાદમાં તેઓ પશ્ચિમ બંગાળ ચાલ્યા ગયા હતા.

શારદા ચિટફંડ એક મોટો ગોટાળો છે. આ ગોટાળામાં અનેક મોટા લોકો સામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં પશ્ચિમ બંગાળની ચિટફંડ કંપની શારદા ગ્રુપે લોકોને છેતરવા માટે અનેક લલચામણી ઓફર આપી હતી. આ કંપનીએ 34 ગણી રકમ કરી આપવાનું વચન આપ્યું હતું, બાદમાં કંપનીએ લોકોના પૈસા પડાવી લીધા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :