વાલીઓ ફી ભરી શકે તેમ નથી : શિક્ષકોને પગાર ચૂકવાય તેમ નથી : શાળાઓ ચાલશે કેવી રીતે ? સ્વનિર્ભર શાળા મંડળનો શ્વેતપત્ર
સક્ષમ વાલીઓ ફી ભરીને શિક્ષણ બચાવે : FRC પછી શાળાઓ આમેય કફોડી સ્થિતિમાં છે
ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે એક જાહેર પત્ર પાઠવીને એવા વાલીઓને પોતાના બાળકોની સ્કુલ ફી ભરી દેવા અપીલ કરી છે કે જેઓ આર્થિક રીતે સક્ષમ છે, હાલમાં લૉકડાઉનના સમયમાં પણ જેમની આવક ચાલુ છે. સરકારી કર્મચારીઓથી લઇને અનેક વાલીઓ છે જેમની લૉકડાઉનમાં આવક ચાલુ છે આમછતાં, એ અન્ય વાલીઓની સાથે શાળાઓની બાકી ફી નથી ભરી રહ્યા.
રાજ્યમાં જ્યારથી ફી રેગ્યુલેટરી કમિશન દ્વારા સ્કુલોની ફી નિર્ધારિત કરવામાં આવી રહી છે ત્યારથી પરિસ્થિતિ બગડી છે. સ્કુલો પોતાનું રિઝર્વ ભંડોળ પણ જાળવી શકી નથી. આવી સ્થિતિમાં જો વાલીઓ ફી નહીં ભરે તો સ્કુલોના સંચાલનમાં મોટા પ્રશ્નો ઉપસ્થિત થશે.
ગુજરાત રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઇ ગાજીપરા (રાજકોટ), મહામંત્રી શ્રી રાજેશભાઇ નાકરાણી (સૂરત) અને પ્રવક્તા શ્રી દિપકભાઇ રાજ્યગુરુ (સૂરત)એ એક જાહેર પત્ર પાઠવીને શાળા સંચાલકો પર હાલ શું વીતી રહ્યું છે તેનો ચિતાર આપ્યો છે. હાલ લૉકડાઉનને કારણે વાલીઓની આવક બંધ છે અને તેઓ ફી ભરી શકે તેમ નથી. એ સમજી શકાય તેવી વાત છે પણ એવા પણ વાલીઓ છે જેઓ આર્થિક રીતે સક્ષમ છે, સરકારી કર્મચારીઓ છે, લૉકડાઉનમાં આવક જારી હોય તેવા વાલીઓ છે એ પણ શાળાઓની ફી નથી ભરી રહ્યા. બીજી તરફ શાળાઓએ ખાસ કરીને ખાનગી, પ્રાઇવેટ, નોનગ્રાન્ટેડ, સ્વનિર્ભર શાળાઓએ શિક્ષકોનો પગાર, લોનના હપ્તા, મિલકત ભાડા વગેરે ખર્ચા, નિભાવ ખર્ચા વગેરે ચૂકવવા પડે છે. બીજી તરફ ઓનલાઇન શિક્ષણ લગભગ મોટા ભાગની સ્કુલોએ શરૂ કરી દીધા છે, આ તમામ કામગીરી શાળા સંચાલકોએ પોતાના સ્વખર્ચે હાલ તો શરૂ કરી છે. પણ જો વાલીઓ ફી જ નહીં ભરે તો શાળા ચાલશે કેવી રીતે. શિક્ષણ કાર્ય કેવી રીતે આગળ વધશે. શિક્ષકોના પગાર નહીં થાય તો તેમના ઘર કેવી રીતે ચાલશે આવા અનેક પ્રશ્નો સર્જાય રહ્યા હોઇ, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સક્ષમ વાલીઓ, સરકારી કર્મચારીઓ હોય કે જેમના પગાર ચાલુ હોય એવા તમામને પોતપોતાના બાળકોની શાળાની ફી ભરવા અપીલ કરી છે જેથી શાળા સંચાલકો પણ આર્થિક સંકટમાંથી ઉગરી શકે.
ગુજરાતમાં 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતમાં પ્રાઇવેટ સ્કુલોમાં અભ્યાસ કરી રહ્યા છે. પ્રાઇવેટ સ્કુલોના સંચાલકોને છેલ્લા 4-5 વર્ષથી જાહેરમાં અપમાનિત કરવાનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે. આટલું થયા પછી પણ પ્રાઇવેટ સ્કુલો વિના ચાલતું નથી. એફ.આર.સી.ના અમલ પછી શાળા સંચાલકોના નફાની વાત તો દૂર રહી પણ આવક જાવકનો મેળ પણ બેસતો ન હોય એવામાં લૉકડાઉન બાદ સર્જાયેલી સ્થિતિમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સક્ષમ વાલીઓને ફી ભરીને શિક્ષણને બચાવી લેવા અપીલ કરી છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનો જાહેર પત્ર


- ગુજરાતના પત્રકારો નાગાલેન્ડના પ્રવાસે, નાગાલેન્ડ PIB ટીમે ઉષ્માભેર આવકાર આપ્યો
- ચારધામ યાત્રામાં હવે ‘REEL’ પર રોક: કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ
- Gujaratના Dy. CM હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં વિકસિત ગુજરાતનો Road Map રજૂ કરશે
- 18/01/26 ગાઢ ધુમ્મસને કારણે Surat Airport પર ડઝનથી વધુ ફ્લાયટો late
- BMC Election: BJPની હરણફાળ, ઉદ્ધવ જૂથ પાછળ: નાગપુરમાં BJP+ બહુમતીમાં
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


