CIA ALERT

આજે મહારાષ્ટ્ર બંધની ઘેરી અસર વહેલી સવારથી જ વર્તાવા માંડી

Share On :
Representative Image | PTI

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષો, શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ લોકોને મહારાષ્ટ્ર બંધને સમર્થન આપવાની અપીલ કરી હતી. લખીમપુર હિંસાના વિરોધમાં રાજ્ય સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં બંધ પાળવાની જાહેરાત કરી હતી જેની ઘેરી અસર આજે સોમવાર તા.11 ઓક્ટોબરની સવારથી જ વર્તાય રહી છે. બંધમાં ખુદ સત્તાધારી પાર્ટીઓ સામેલ હોઇ, મહારાષ્ટ્રમાં આજના બંધની વ્યાપક અસરો જોવા મળી શકે છે.

ત્રણેય પક્ષના કાર્યકરો લોકોને મળીને ખેડૂતોને સમર્થન આપવા માટે તેમને બંધમાં સામેલ થવાની અરજી કરી હતી. 

‘ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદા દ્વારા કૃષિ ઉત્પાદનોની ખૂલી લૂંટ કરવા માટે પરવાનગી આપી છે અને તેના પ્રધાનોના સંબંધીઓ ખેડૂતોનો જીવ લઇ રહ્યા છે. આપણે ખેડૂતો પ્રત્યે દયા દેખાડવાની જરૂર છે’, એમ એનસીપીના પ્રવક્તા અને રાજ્યના પ્રધાન નવાબ મલિકે જણાવ્યું હતું. 

મહાવિકાસ આઘાડી સરકારે આ હિંસા માટે ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અજય મિશ્રાને જવાબદાર ઠરાવીને તેમના રાજીનામાની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટની દખલગીરી બાદ પ્રધાનના પુત્રની ધરપકડ કરાઇ હતી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. 

કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું હતું કે લખીમપુર હિંસાનો વિરોધ નોંધાવવા માટે પક્ષના કાર્યકરો અને નેતાઓ મુંબઈમાં રાજભવનની બહાર ‘મૌન વ્રત’ રાખશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :