કિરણ હોસ્પિટલના મિશન હેલ્થકેરમાં જાવ અને મેળવો હેલ્થ ચેક-અપમાં 50 ટકા ડિસ્કાઉન્ટ

Share On :

હેલ્થ ચેકઅપનું સ્થળ અને તારીખ અને સમય

સુરતના કતારગામ સ્થિત અને 17 મહિનામાં જ દેશ-દુનિયામાં જાણીતી બનેલી કિરણ હોસ્પિટલ (મેનેજ્ડ બાય સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ)ના સંચાલકોએ આગામી તા.6 જાન્યુઆરી 2019ના રોજ બપોરે 3 વાગ્યે ડી.એમ.ડી. પાર્ટી પ્લોટ, જોલી પાર્ટી પ્લોટની સામે, ઉધના-મગદલ્લા રોડ, વેસુ – સુરત ખાતે એક મેગા મિશન હેલ્થ કેર કાર્યક્રમનું આયોજન કર્યું છે.

6 જાન્યુઆરી 2019ના મિશન હેલ્થકેર માટે નોંધણી કરાવો અને હેલ્થ ચેકઅપ પેકેજમાં મેળવો 50 ટકા ડિસ્કાઉન્ટ

કિરણ હોસ્પિટલ આયોજિત મિશન હેલ્થ કેરની વિશેષતા એ છે કે વક્તાઓ તરીકે 17 એક્સપર્ટસ તબીબો જ સામાન્ય લોકોને કેવી રીતે તંદુરસ્ત રહી શકાય તેની માહિતી આપશે. અને એથી વિશેષ આ હેલ્થ ચેક અપ માટે ઓનલાઇન રજિસ્ટ્રશેન કરાવનાર 12 હજારથી વધુ લોકોને કિરણ હોસ્પિટલના રૂ.1000થી લઇને રૂ.25000 સુધીના હેલ્થ ચેકઅપ પેકેજીસમાં સીધા 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

(Photo of Press conference held At Kiran Hospital on 3 Jan. 2019)

પત્રકાર પરિષદમાં કિરણ હોસ્પિટલના મેનેજમેન્ટ પૈકી શ્રી મથુરભાઇ સવાણીએ માહિતી આપી હતી જ્યારે વહીવટી મંડળમાં શ્રી મનજીભાઇ, શ્રી બી.એન. ગુજરાતી, શ્રી જયેશભાઇ લાઠીયા, શ્રી રવજીભાઇ મોણપરા, શ્રી રાજેશભાઇ મકવાણા, શ્રી સુરેશભાઇ કુકડીયા, શ્રી રાજુભાઇ વાનાણી સમેત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિકરીઓને જન્મ આપનારી માતાઓનું વિશિષ્ટ સન્માન

કિરણ હોસ્પિટલના મિશન હેલ્થ કેર અંગે માહિતી આપતા પત્રકાર પરિષદમાં સંસ્થાના સુકાની શ્રી મથુર સવાણીએ જણાવ્યું કે તા.6 જાન્યુઆરી 2019નું આ અભિયાન અનેક હેતુઓ સર કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોને તંદુરસ્ત કેવી રીતે રહી શકાય, રોગથી દૂર કેવી રીતે રહી શકાય તે અંગે જાણકારી તો આપવામાં આવશે જ સાથોસાથ આ જ સમારોહમાં બેટી બચાવો અભિયાનના ભાગરૂપે કિરણ હોસ્પિટલના ઉદઘાટન સમારોહ  પ્રસંગે કરાયેલી જાહેરાત કે જેમાં એક દિકરી હોવા ઉપરાંત બીજી પણ દિકરીને જન્મ આપનાર 300 જેટલી માતાઓને દિકરીના નામે રૂ.1 લાખના કિરણ સુકન્યા બોન્ડ, તેમજ બે દિકરીઓના જન્મ પછી ઓપરેશન કરાવનાર 9 માતાઓને રૂ.5 લાખના કિરણ સુકન્યા બોન્ડના પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવશે. બોન્ડની રકમ દિકરીઓની ઉંમર 1 વર્ષની થશે ત્યારે રોકડમાં રૂપાંતરીત થઇ શકશે.

તાપી નદીનું પ્રદૂષણ અટકાવવામાં સહાયભૂત થનારા ગણેશ મંડળોને પ્રશસ્તિ પત્રો તેમજ 100 મંડળોને રૂ.11 હજારની સહાય

કિરણ હોસ્પિટલના મિશન હેલ્થ કેર કાર્યક્રમમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને તાપી નદીમાં ગણેશજીની પ્રતિમાનુંં વિસર્જન નહીં કરનારા ગણેશ આયોજકોને બિરદાવવા માટે તેમને પ્રશસ્તિ પત્રો એનાયત કરવામાં આવશે. તેમજ આ માટે ઓનલાઇન રજિસ્ટ્રશન કરાવનાર ગણેશ આયોજકો પૈકી ડ્રોથી 100 જેટલા આયોજકોને સિલેક્ટ કરીને તેમને સમારોહમાં જ રૂ.11000ની સહાય આપવામાં આવશે.

17 મહિનામાં કિરણ હોસ્પિટલ એક વટવૃક્ષ બની ગયું

આજથી 17 મહિના અગાઉ કિરણ હોસ્પિટલને લોકસમર્પિત કરવામાં આવી હતી. આ 17 મહિનાની સફર દરમિયાન કિરણ હોસ્પિટલે દિન દુગની રાત ચૌગુની પ્રગતિ કરી.550 બેડની હોસ્પિટલમાં 66 ટકા બેડ જનરલ વોર્ડ માટે ફાળવી દેવાયા છે. જનરલ વોર્ડ એટલે ત્યાં સામાન્યમાં સામાન્ય દર્દીઓ રહી શકે અને એક જનરલ વોર્ડમાં 5થી વધુ બેડ નહીં. કિરણ હોસ્પિટલ કેમ એક વટવૃક્ષ બન્યું એની એટ અ ગ્લાન્સ વિગતો આ રહી.

  • 550 બેડની સંપૂર્ણ હોસ્પિટલ
  • કીડની ટ્રાન્સપ્લાન્ટની માળખાગત સુવિધાઓને પગલે સરકાર દ્વારા મંજૂરી
  • 66 ટકા બેડ જનરલ વોર્ડ માટે ફાળવાયા, એક જનરલ વોર્ડમાં પાંચથી વધુ પેશન્ટ નહીં.
  • 3.5 લાખ જેટલા આઉટ ડોર પેશન્ટસની સારવાર કરાઇ
  • 30મી નવેમ્બર 2019ની સ્થિતિએ કુલ 26,622 દર્દીઓને વિનામૂલ્યે સારવાર ઉપરાંત રૂ.300 આપીને ઘરે પરત મોકલાયા
  • 3789 દર્દીઓને માં અમૃતમ યોજના અન્વયે મોટા મોટા ઓપરેશનનો ખર્ચ બિલકુલ ફ્રીમાં આપવામાં આવ્યો
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :