અરવિંદ કેજરીવાલને ફરી લાફો પડ્યો
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને રોડશોમાં અહીંના મોતીનગર ખાતે એક માણસે લાફો માર્યો હતો.
આમ આદમી પક્ષ (આપ)એ આ કૃત્ય ભારતીય જનતા પક્ષ (ભાજપ)નું હોવાનો આક્ષેપ કર્યો હતો.
પોલીસે કેજરીવાલને લાફો મારનારા માણસને પકડીને પૂછપરછ હાથ ધરી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન ખૂલ્લી જીપમાં જઇ રહ્યા હતા ત્યારે લાલ ટી-શર્ટ પહેરીને ત્યાં આવેલા 33 વર્ષીય સુરેશે તેમને લાફો માર્યો હતો. લાફો મારનારો સુરેશ કૈલાસ પાર્ક વિસ્તારમાં સ્પેર પાટર્સનો વ્યાપારી છે.
દરમિયાન, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ સવાલ કર્યો હતો કે શું મોદી અને અમિત શાહ કેજરીવાલની હત્યા કરાવવા માગે છે? તેમણે જણાવ્યું હતું કે ભાજપ કેજરીવાલનો જુસ્સો તોડી નહિ શકે અને ચૂંટણીમાં હરાવી નહિ શકે. દિલ્હીમાંના ભાજપ એકમના પ્રમુખ મનોજ તિવારીએ આ ઘટનાને વખોડી હતી અને શંકા વ્યક્ત કરી હતી કે આમ આદમી પક્ષે જ કદાચ કૃત્ય કરાવ્યું હશે.
તેમણે સવાલ કર્યો હતો કે કેજરીવાલ સાથે ચૂંટણી વખતે જ આવી ઘટના શું કામ બને છે? કેજરીવાલે જ આ કૃત્ય કરાવ્યું હોવાની શંકા છે. અગાઉ, અરવિંદ કેજરીવાલને લાફો મારવાની અને તેમના પર શાહી ફેંકવાની ઘટના પણ બની હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
