જ્વેલરી નિકાસકારોને સોના ઉપર ફરજિયાત હોલમાર્કિંગમાંથી મુક્તિ
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે આજે તા.16મી જૂને બપોરે કરેલી એક ટ્વીટને કારણે ભારતના જ્વેલરી એક્સપોર્ટર્સનો મોટી રાહત થવા પામી છે. ભારતમાં સોના પર લાગૂ કરવામાં આવેલા ફરજિયાત હોલમાર્કિંગમાંથી જ્વેલરી એક્સપોર્ટર્સને મુક્તિ આપવામાં આવી હોવાનો નિર્ણય કેન્દ્રીય વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યો હોવાનો નિર્દેશ જીજેઇપીસીની ટ્વીટ પરથી મળી રહે છે.
જીજેઇપીસીએ રજૂઆતો કરી હતી કે ભારતીય જ્વેલરી હોલમાર્ક સમગ્ર વિશ્વમાં હજુ સુધી સ્વીકૃતિ પામી શક્યા નથી અને જો ફરજિયાત હોલમાર્કિંગ લાગૂ કરવામાં આવશે તો ભારતીય જ્વેલરી નિકાસકારોનો માલ વિશ્વમાં વેચાશે નહીં અને તેના કારણે ભારતે વિદેશી હૂંડીયામણ ગુમાવવું પડી શકે અને નિકાસકારોનો પણ ધંધો બંધ થઇ જવાનો ભય છે.
જીજેઇપીસીની ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર લખાયું છે કે જ્વેલરી નિકાસ કારોને હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવાના નિર્ણયને કારણે સમગ્ર એક્સપોર્ટર્સને મોટી રાહત થવા પામી છે.
અગાઉ જીજેઇપીસી દ્વારા કેન્દ્ર સરકારને અનેક વખત જ્વેલરી એક્સપોર્ટર્સને સોના પર ફરજિયાત હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવા માટે મુદ્દાસર રજૂઆતો થઇ ચૂકી છે.
Earlier …
K Srinivasan, Convener, Gold Panel, GJEPC said: “As Indian hallmarked articles do not have acceptance outside India, any legal interpretation that requires an exporter to comply with the hallmarking provisions wholly or partially, will increase the transaction costs in the export stream, making gem and jewellery exports unviable”. The purchases made by foreign buyers at domestic exhibitions are tantamount to export sales and should therefore be outside the purview of the hallmarking order, Srinivasan added.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


