બ્રિટિશરો સાથે ભારતની જેવા સાથે તેવાની નીતિ : ભારત આવતા બ્રિટિશરોએ 10 દિ’ ક્વોરન્ટાઇન રહેવું પડશે
ભારતે બ્રિટનથી ભારતમાં આવતા બ્રિટિશ નાગરિકોને સમાન નિયમો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે, જે બ્રિટનમાં ભારતથી જતા ભારતીય નાગરિકોને લાગુ પડશે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારત 4 ઓક્ટોબરથી આ નવા નિયમો લાગુ કરશે. સૂત્રોએ જણાવ્યું કે આ નિયમો યુકેથી આવતા તમામ બ્રિટિશ નાગરિકોને લાગુ પડશે. યુકેથી ભારત આવતા તમામ બ્રિટિશ નાગરિકો, જેમણે રસી લીધી હોય કે ના લીધી હોય તે તમામ લોકોએ 4 ઓક્ટોબરથી આ નિયમોનું પાલન કરવું પડશે.
બ્રિટિશ નાગરિકોએ મુસાફરી માટે રવાના થવાના 72 કલાક પહેલા COVID-19 RT-PCR પરીક્ષણ કરાવવું જરૂરી રહેશે. તો બીજી બાજુ ભારતમાં એરપોર્ટ પર પહોંચ્યા પછી પણ કોવિડ -19 નું RT-PCR પરીક્ષણ થશે. ભારત આવ્યાના 8 દિવસ બાદ ફરી એકવાર RT-PCR ટેસ્ટ થશે. ભારતમાં આવ્યા પછી 10 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઇન થવું પડશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ નવા નિયમોના અમલ માટે પગલાં લેશે.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા, ભારત સરકારે કહ્યું હતું કે બ્રિટનમાં કોવિડશિલ્ડ રસી મેળવનારાઓ માટે બ્રિટનનો 10 દિવસનો ક્વોરેન્ટાઈનનો નિયમ `ભેદભાવપૂર્ણ` છે અને નવી દિલ્હીને પણ આ જ રીતે બદલો લેવાનો અધિકાર છે. બ્રિટનના નવા મુસાફરી નિયમ પર દેશમાં રોષ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે, `અમે માનીએ છીએ કે 4 ઓક્ટોબરથી અમલમાં મૂકવાની પ્રસ્તાવિત સિસ્ટમ ભેદભાવપૂર્ણ પદ્ધતિ છે. બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને અમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં ઉકેલ મળી જશે. આપણને પણ આવો જવાબી વ્યવહાર અધિકાર છે.`
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
