CIA ALERT

India : દરરોજ ૧ કરોડ લોકોને વૅક્સિન આપવાનો લક્ષ્યાંક

Share On :

નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ કે. પૉલે માહિતી આપી હતી કે ભારત સરકાર વૅક્સિનનું ઉત્પાદન વધારવા માટે પ્રયાસ કરી રહી છે. વૅક્સિનના કુલ ઉત્પાદનના ૨૫ ટકા રાજ્યોને આપવામાં આવે છે. એટલું જ નહીં, ચાર નવી વૅક્સિન ભારતમાં આવી રહી છે. ડૉ. પોલે કહ્યું હતું કે રાજ્યો જાણે છે કે ભારતમાં કેટલી રસીનું ઉત્પાદન થાય છે. રસીના કુલ ઉત્પાદનના ૫૦ ટકા કેન્દ્ર લઈ લે છે જે રાજ્યોને ૪૫થી વધુ ઉંમરના લોકો માટે મફતમાં વૅક્સિન આપવા માટે આપે છે. બાકીના ૫૦ ટકા રાજ્યો અને પ્રાઇવેટ હૉસ્પિટલો ખરીદે છે.વૅક્સિનનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે એ વાતને ખોટી ગણાવતાં ડૉ. પૉલે કહ્યું હતું કે ‘કઈ ઉંમરના લોકોને વૅક્સિન આપવી એ નક્કી કરવાનું કામ રાજ્યોને સોંપવામાં આવ્યું છે. સરકારે દરરોજ ૧ કરોડ લોકોને વૅક્સિન આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જે થોડા દિવસોમાં પૂરો પણ થશે. હાલમાં ૪૩ લાખ લોકોને દરરોજ વૅક્સિન આપીએ છીએ.

‘કેન્દ્ર સરકાર બાળકોના રસીકરણ માટે કોઈ પગલાં નથી લઈ રહી’ આવી વાતો પર સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે ‘હાલમાં વિશ્વનો કોઈ પણ દેશ બાળકોને રસી આપી નથી રહ્યો તેમ જ ડબ્લ્યુએચઓએ પણ બાળકોને રસી આપવાની ભલામણ નથી કરી. જોકે અભ્યાસ પરથી જણાયું છે કે બાળકોને વૅક્સિન આપવા પર અભ્યાસ હાથ ધરાયો છે, જેના પરિણામ ખૂબ જ પ્રોત્સાહક રહ્યાં છે.’ ભારતમાં થોડા જ દિવસોમાં બાળકો પર પરીક્ષણ કરવામાં આવશે , પરંતુ બાળકોને રસી આપવાનો નિર્ણય વૉટ્સઍપ પર ફેલાવવામાં આવેલા ગભરાટને કારણે અને કેટલાક રાજકીય પક્ષો આ બાબત પર રાજકારણ કરવા માગતા હોવાથી ન લેવો જોઈએ.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :