India : વાઘનો શિકાર ઘટ્યો, પણ હાથીનો વધ્યો

Share On :

લોકસભામાં સોમવારે રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી અશ્ર્વિની ચૌબેના જણાવ્યા મુજબ શિકારનો ભોગ બનીને મોતને ભેટતા વાઘની સંખ્યા ઘટી હતી, પરંતુ હાથીઓ વધુ પ્રમાણમાં શિકારનો ભોગ બન્યા હતા. ૨૦૧૮માં ૩૪, ૨૦૧૯માં ૧૭ જ્યારે ૨૦૨૦માં માત્ર ૭ વાઘ શિકારનો ભોગ બન્યા હતા. આથી ઊલટું હાથીની વાત કરીએ તો ૨૦૧૮-૧૯માં ૯, ૨૦૧૯-૨૦માં ૬ તો ૨૦૨૦-૨૧માં ૧૪ હાથીઓ શિકારનો ભોગ બન્યા હતા. જંગલમાં પ્રાણીઓની ગેરકાયદેસર થતી હેરફેર અને તેને કારણે થતી ધરપકડનું પ્રમાણ પણ ઓછું થયું છે. 
છેલ્લી વસતિ ગણતરી મુજબ ભારતમાં હાથીની સંખ્યા લગભગ ૨૭,૦૦૦ અને વાઘની સંખ્યા ૨૯૬૭ જેટલી છે.

    

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :