આજે મિટીંગ, હાર્દિક અને સરકાર વચ્ચે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની મધ્યસ્થી
હાર્દિક અને સરકાર વચ્ચે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની મધ્યસ્થી, આજે અમદાવાદમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે મહત્વની મિટીંગ, સંભવતઃ આજે હાર્દિકના ઉપવાસ પૂરા થાય તેવી શક્યતાઓ

પાટીદાર આગેવાન મનાતા અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશ પટેલ અને ઉપવાસે ઉતરેલા હાર્દિક પટેલ વચ્ચે આજે અમદાવાદ ખાતે સમાધાનકારી બેઠક યોજાઇ રહી છે. રાજ્ય સરકાર અને હાર્દિક પટેલ બન્નેએ નરેશ પટેલની મધ્યસ્થીની વાત સ્વીકારી છે, પરીણામે આજે અમદાવાદ ખાતે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે મિટીંગ યોજાઇ રહી છે. આ બેઠક બાદ સંભવતઃ હાર્દિક પટેલ પારણા કરે તેમ માનવામાં આવી રહ્યું છે.
છેલ્લા 14 દિવસથી ઉપવાસે ઉતરેલા પાસ નેતા હાર્દિક પટેલ આજે તા.7મી સપ્ટેમ્બર 2018ના રોજ પારણા કરી લે તેવી પ્રબળ શક્યતાઓ જોવાય રહી છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને દિગ્ગજ પાટીદાર નેતા ગણાતા શ્રી નરેશ પટેલ મધ્યસ્થી બને તો હાર્દિક પટેલ ગ્રુપને કોઇ વાંધો ન હોવાનું મોડીરાત્રે સરકારને જણાવ્યા બાદ હવે સરકાર નરેશ પટેલને મધ્યસ્થી બનાવીને હાર્દિક સાથે વાટાઘાટ કરે તેવી સંભાવનાઓ જોવાય રહી છે. આજે શુક્રવારે બપોરે કે સાંજ સુધીમાં હાર્દિક પટેલ પારણા કરે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફ કરવાની માગણી સાથે હાર્દિક પટેલ છેલ્લા 13 દિવસથી ઉપવાસ પર ઊતર્યો છે. હાર્દિકને મનાવીને પારણાં કરાવવા સરકાર કોઈ રસ્તો શોધવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મધ્યસ્થી બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે ગુરુવારે નરેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજિક શાંતિ અને હિત માટે હું મધ્યસ્થી બનવા તૈયાર છું. નરેશ પટેલના હકાર પછી સરકાર પણ તેમને મધ્યસ્થી તરીકે સ્વીકારવા તૈયાર હોવાનું લાગે છે. પાસે પણ ગુરુવારે મોડી રાત્રે નરેશ પટેલને મધ્યસ્થી બનાવવા સામે વાંધો ન હોવાનું કહ્યું હતું. આને પરિણામે શુક્રવારે નરેશ પટેલ હાર્દિકને મનાવવા પહોંચશે એવું માનવામાં આવે છે. સૂત્રોની વાત માનીએ તો હાર્દિક પટેલ આજે શુક્રવારે બપોરે પારણાં પણ કરી લે તો નવાઇ નહીં.
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ અને ખેડૂતાના પ્રશ્ર્ને લડી લેવાના મૂડમાં આવી ગયેલી કૉંગ્રેસે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળીને પાટીદાર આંદોલનકારીઓ તેમ જ ખેડૂત સમુદાય સાથે સીધો સંવાદ સ્થાપવાની હાકલ કરી હતી. વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ ઉપરાંત વિપક્ષના નેતા પરેશ ધાનાણી તથા ધારાસભ્યો સહિત કૉંગ્રેસના એક પ્રતિનિધિમંડળે ગુરુવારે સાંજે મુખ્ય પ્રધાનની ઑફિસમાં વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી અને ધરતીપુત્ર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે તેની સાથે સીધો સંવાદ સાધવા, ખેડૂતોનું દેવું માફ કરવા અને અલ્પેશ કથિરિયા સહિતના પાટીદારો સામેના ખોટા કેસો પાછા ખેંચી લેવા રજૂઆત કરી હતી. આ મામલે રાજ્ય સરકાર 24 કલાકમાં પગલાં નહીં લે તો શુક્રવારે સવારે 11 વાગ્યાથી શનિવારે સવારે 11 વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લામાં કૉંગ્રેસના કાર્યકરો ઉપવાસ આંદોલન કરશે અને વિરોધ વ્યક્ત કરશે એવી ચીમકી પણ આપી હતી.
હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન જ્યારે 13માં દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે કૉંગ્રેસે હવે આ મામલે સીધો હસ્તક્ષેપ કર્યો છે. કૉંગ્રેસના પ્રતિનિધિમંડળે ગુરુવારે સીએમ રૂપાણીની મુલાકાત લઈને તેમને આ મામલે હાર્દિક સાથે સંવાદ સાધવા તેમ જ ખેડૂતોના હિતમાં પગલાં લેવા રજૂઆત કરી હતી. એટલું જ નહીં આ મામલે રાજ્ય સરકાર 24 કલાકમાં પગલાં નહીં લે તો શુક્રવારે સવારે 11 વાગ્યાથી શનિવારે સવારે 11 વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લામાં કૉંગ્રેસના કાર્યકરો ઉપવાસ આંદોલન કરશે અને વિરોધ વ્યક્ત કરશે. પાટીદારો માટે ઉપવાસ કરશે
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


