ગુજરાતમાં જીત અને વિજય બન્ને છે છતાં મોદી-શાહ નારાજ કેમ ?
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાંથી સૌથી વધુ બેઠકો મળે એવી ગણતરી સાથે કેન્દ્રીય ભાજપના નેતાઓ ગુજરાત પર મોટો દાવ રમી રહ્યા છે એવા સંજોગોમાં ગુજરાતમાં ભાજપા પાસે જીત (જીતુ વાઘાણી) અને વિજય (વિજય રૂપાણી) બન્ને છે આમ છતાં નરેન્દ્ર મોદી અને અમીત શાહ બન્ને ગુજરાતના આ જીત અને વિજયથી નાખુશ છે અને સંભવ એ પણ છે કે કોઇક મોટા નો ભોગ પણ લેવાય જાય.

વાત જાણે એમ બની કે
વડાપ્રધાન મોદીની એક દિવસીય ગુજરાત મુલાકાત આવ્યા હતા એ પછી તાબડતોડ ભાજપ સેન્ટ્રલ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને દિલ્હી તેડાવ્યા હતા. આ દરમિયાન ચર્ચા હતી કે પીએમ મોદીના કાર્યક્રમમાં કાર્યકરો અને પ્રજાની પાંખી હાજરી કેમ હતી, ખુરશીઓ, બેઠકો ખાલી હતી. ખુદ મોદીને આ વાત અપમાનજનક લાગી હતી. આ બાબતથીથી ભાજપ હાઈકમાન્ડ નારાજ છે. ભાજપના નેતાઓની દિલ્હી મુલાકાત બાદ એ વાત જાહેર થઇ ગઇ કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ મામલે સ્થાનિક નેતાઓનો ઉધડો લીધો અને આવું કેમ થયું તેની તપાસ શરૂ કરાવડાવી છે. એક તરફ લોકસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં ભાજપ અને સંગઠનની કામગીરીથી નારાજ પીએમ મોદીએ અમિત શાહને ધ્યાન દોરતા શાહે ભાજપના નેતાઓને યોગ્ય કાર્યવાહી માટે કડકાઈ સૂચના આપી છે એ જોતા આગામી દિવસોમાં એકાદ બે નેતાઓની જવાબદારી લઇને બીજા કોઇ નેતાને સુપરત કરવામાં આવે.
જાણકારોનું કહેવું છે કે ગુજરાત ભાજપના નેતાઓની દિલ્હી મુલાકાત બાદ હવે આગામી દિવસોમાં ગુજરાત ભાજપામાં સંગઠન સ્તરે અને રાજ્ય સરકારમાં પરિવર્તનની વકી સ્પષ્ટ છે.
ભૂપેન્દ્ર યાદવના રિપોર્ટ પર નિર્ભર
નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન મળેલી નિષ્ફળતાનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવા માટે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ચાર દિવસ માટે ગુજરાત મોકલ્યા છે. પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મોદીના મુલાકાતના સ્થળો અને તે જિલ્લામાં ભાજપની સ્થિતિ અને ભાજપ અંગે પ્રજાનો વિશ્વાસ અને રોષ કેવો છે તે અંગેનો તાગ મેળવીને રિપોર્ટ કરશે. ભૂપેન્દ્ર યાદવના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર અને સંગઠનમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ છે.
નારાજગીનો સૂર તો પહેલેથી છે જ
ઉલ્લેખનીય છે કે સીએમ રૂપાણી અને મંત્રીમંડળની કામગીરી સામે ભાજપના જ ધારાસભ્યોની નારાજગી વારતહેવારે સામે આવી ચૂકી છે. તો મંત્રીઓ વચ્ચે પણ સંકલનનો અભાવ હોવાથી કામગીરી અટકતી હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. ભાજપ સંગઠનમાં પણ પ્રદેશ પ્રમુખ અને જિલ્લા અને શહેર પ્રમુખ વચ્ચે યોગ્ય સંકલન ન હોવાથી સરકારની કામગીરી પ્રજા સુધી યોગ્ય રીતે પહોંચી શકતી નથી. આમ ભાજપ સંગઠન અને સરકારમાં સંકલનના અભાવ અને પ્રજા સાથે સંપર્ક કરવામાં ભાજપ ઉણો ઉતરતાં હાઈકમાન્ડે પણ તેની ગંભીર નોંધ લીધી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


