Gujarat High Court : ગુજરાત સરકાર કેન્દ્ર અને કોર્ટના સૂચન પ્રત્યે ધ્યાન નથી આપતી
ગુજરાત વડી અદાલતે વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની ગુરુવારે આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે કોરોનાનો રોગચાળો નાથવા કેન્દ્ર અને અદાલત દ્વારા અગાઉ કરાયેલા સૂચન પ્રત્યે રાજ્ય સરકાર ધ્યાન આપતી નહિ હોવાથી રાજ્યમાં કોરોનાવાઇરસના કેસનું ‘સુનામી’ આવ્યું છે.
મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ ભાર્ગવ કારિયાની ડિવિઝન બૅન્ચે રાજ્ય સરકાર દ્વારા બૅડ્સ, ટૅસ્ટિંગ સુવિધા, મેડિકલ ઑક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની ઉપલબ્ધતા અંગે કરાયેલા દાવા અંગે શંકા વ્યક્ત કરી હતી.
બૅન્ચે જણાવ્યું હતું કે રાજ્યમાં રોગચાળાની સ્થિતિ વધુ વણસવાની શક્યતા છે. અમારી અદાલતે ગયા ફેબ્રુઆરીમાં રોગચાળાને નાથવા કેટલાંક સૂચન કયાર્ં હતાં. અમે કોવિડ-૧૯ના દરદીઓની સારવાર માટે વધુ હૉસ્પિટલ, પૂરતા બૅડ્સ, ટૅસ્ટિંગ અને અન્ય સંબંધિત સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમ જ લોકો બરાબર માસ્ક પહેરે તેનું અને જાહેર સ્થળે (લોકો ટોળે ન વળે તેનું) પૂરતું ધ્યાન રાખવા સૂચન કર્યું હતું. આમ છતાં, રાજ્ય સરકારે અમારા સૂચન પ્રત્યે જરૂરી ધ્યાન નથી આપ્યું અને તેને લીધે હાલમાં કોરોનાનું ‘સુનામી’ આવ્યું છે.
તેણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રોગચાળાના સંબંધમાં બેદરકાર છે.
ગુજરાત વડી અદાલતે રાજ્યમાંની કોરોનાવાઇરસને લગતી સ્થિતિ અંગેની જાહેર હિતની અરજીની જાતે જ સુનાવણી હાથ ધરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
