CIA ALERT

10/5/21, Covid Updage Gujarat : પાંચમા દિવસે કોરોનાના કેસ કરતા ડિસ્ચાર્જ વધુ

Share On :

ગુજરાતમાં વકરેલી કોવિડ-19 મહામારીમાં મે મહિનાના પ્રાંરભથી કેસમાં સતત નજીવો ઘટાડો નોંધાઈ રહ્યો છે તો ડિસ્ચાર્જ દરદીઓની સંખ્યા વધી રહી છે, જેનાથી રીકવરી રેટ સતત વધી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં તા.9મી મે, સતત પાંચમાં દિવસે નવા કેસ કરતા કોરોનાના ચેપમાંથી મુક્ત થનારા દરદીઓની સંખ્યા વધુ રહી હતી. સાથે જ 19 દિવસ બાદ રાજ્યમાં 11100થી ઓછા કેસ નોંધાયા હતા.

તા.9મી મે 2021ના રોજ રાત્રે 8 કલાકે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11084 નવા કેસ નોંધાયા હતા અને 14770 દરદી ડિસ્ચાર્જ થયા હતા. ગુજરાતમાં 121 કોવિડ ડેથ જાહેર કર્યા હતા. અમદાવાદમાં તા.9મી મે એ પ્રથમવાર 3000ની નીચે કેસ નોંધાવા પામ્યા છે જ્યારે સુરત કરતા પ્રથમવાર વડોદરામાં કોરોનાના કેસો વધુ નોંધાવા પામ્યા છે.

24 કલાકમાં 808 કેસના ઘટાડા સાથે 11084 નવા કેસ અને ગઇકાલ સામે 33 દર્દીઓના વધારા સાથે 14770 દર્દી સાજા થયા છે. જો કે દૈનિક કેસની સરખામણીમાં 3686 દર્દી વધુ સાજા થયા છે. બીજી તરફ કોરોના 121 દર્દીઓને ભરખી જતા કોરોનાનો કુલ મૃત્યુઆંક 8394 થયો છે. કોરોનાના કુલ કેસનો આંક 680987 થયો છે, જ્યારે ડીસ્ચાર્જ દર્દીનો આંક 5,33,004 થતા ડીસ્ચાર્જ દર્દીનો રિકવરી રેટ વધીને 78.27 ટકા થયો છે.

8/5/21 કરતા 9/5/21ના રોજ 3807 એક્ટિવ કેસ ઓછા થતા રાજ્યમાં અત્યારે 139614 દરદી સારવારમાં છે, જેમાં 786 વેન્ટીલેટર પર છે.

ગુજરાતમાં નોંધાયેલા નવા 11084 કેસમાં અમદાવાદમાં 2955, વડોદરામાં 1161, સુરતમાં 1113, રાજકોટમાં 746, જામનગરમાં 586, જૂનાગઢમાં 484, ભાવનગરમાં 775, ગાંધીનગરમાં 230, મહેસાણામાં 483, ભરૂચમાં 248, પંચમહાલમાં 246, ગીર સોમનાથમાં 211, આણંદમાં 189, દાહોદમાં 184, કચ્છમાં 179, ખેડામાં 161, બનાસકાંઠામાં 14, પાટણમાં 142, અમરેલીમાં 141, મહીસાગરમાં 140, નવસારીમાં 110, સાબરકાંઠામાં 108, અરવલ્લીમાં 106, વલસાડમાં 98, દેવભૂમિ દ્વારકામાં 94, છોટાઉદેપુર અને નર્મદામાં 84-84, સુરેન્દ્રનગરમાં 74, તાપીમાં 54, મોરબીમાં 44, પોરબંદરમાં 37, ડાંગમાં 20 અને બોટાદમાં 14 કેસ નોંધાયા છે.’

અમદાવાદમાં 19, સુરતમાં 12, વડોદરામાં 12, રાજકોટમાં 13, જામનગરમાં 14, જૂનાગઢમાં 11, ભાવનગરમાં 4, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 4, કચ્છમાં 4, ગીરસોમનાથ અને સાબરકાંઠામાં 3-3, ભરૂચ, પંચમહાલ, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દેવભૂમિદ્વારકા અને છોટા ઉદેપુરમાં 2-2, સુરેન્દ્રનગર, તાપી, અમરેલી, પાટણ,ખેડા, દાહોદ અને આમંદમાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :