Gujarat : 7 જુલાઇએ દિવસ દરમિયાન સુરતમાં નવા 249 અને અમદાવાદમાં 187 નવા કેસ
સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જે પૈકી અમદાવાદ અને સુરતમાં સતત કોરોના વાયરસના નવા કેસ નોંધાઈ રહ્યા છે. હવે દરરોજ અમદાવાદ કરતા સુરતમાં કોરોના વાયરસના વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં તા.7મી જુલાઇના દિવસના 24 કલાકમાં કોરોના વાયરસના નવા 249 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 76 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 187 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 124 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 7 દર્દીઓના જ્યારે સુરતમાં 6 દર્દીઓના મોત થયા છે.
અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 22,262 કેસ નોંધાયા છે જે પૈકી કુલ 17,089 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 1498 દર્દીઓના મોત થયા છે. જ્યારે સુરતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 6458 કેસ નોંધાયા છે જે પૈકી કુલ 4185 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. સુરતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 194 દર્દીઓના મોત થયા છે.
સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી જ રહી છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે 700 પાર કેસ નોંધાયા છે. ગુજરાતમાં 24 કલાકમાં વધુ નવા 778 કેસ નોંધાતા હવે કુલ આંકડો પણ 37,636 પર પહોંચ્યો છે. નવા કેસમાં અમદાવાદમાં 187, સુરતમાં 249 જ્યારે વડોદરામાં વધુ 68 કેસનો પણ સમાવેશ થાય છે. જ્યારે 24 કલાકમાં વધુ 421 દર્દીઓ સ્વસ્થ થતાં રાજ્યમાં કુલ સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ 26744 થયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


