Gujarat : કોરોના ફોકસ હવે અમદાવાદથી સુરત પર, ત્રીજા દિવસે સુરતમાં 200 પ્લસ કેસીસ

ગુજરાતમાં કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત અમદાવાદમાં હવે સ્થિતિ ઝડપથી સુધરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં હવે કોરોનાના નવા કેસની સંખ્યા કરતા ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ સુરતમાં સતત ત્રીજા દિવસે 200થી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 201 નવા કેસ નોંધાયા છે.
અમદાવાદમાં હવે કોરોનાની સ્થિતિ સુધરી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોવિડ-19ના 168 નવા કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 235 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 15 નવા કેસ નોંધાયા છે અને પાંચ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સાત લોકોના મૃત્યુ થયા છે. આમ અમદાવાદમાં કેસ અને મૃત્યુઆંક સતત ઘટી રહ્યો છે.
કોરોના વાયરસના કેસની સંખ્યામાં ગુજરાતમાં હવે સુરત પ્રથમ ક્રમે આવી ગયું છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 201 કેસ નોંધાયા છે જ્યારે 42 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લાની વાત કરીએ તો 40 નવા કેસ નોંધાયા છે અને 44 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં ચાર અને સુરત જિલ્લામાં બે લોકોના મૃત્યુ થયા છે.
સુરતમાં કોરોનાના સતત વધી રહેલા કેસના કારણે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાતે સુરતની મુલાકાતે જઈ આવ્યા છે. મુખ્યમંત્રીએ સુરતમાં 100 કરોડના ખર્ચે બે કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સુરત માટે 200 વેન્ટિલેટર્સ મોકલવામાં આવ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
