CIA ALERT

25/06 : Gujarat Corona Update : કેસ 29000ને પાર

Share On :

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૭૨ કેસ ઉમેરાતાં કુલ પોઝિટિવ કેસનો આંક ૨૯૦૦૦ને પાર થઇ ગયો છે જે ૨૫મેના રોજ ૧૪૪૬૮ કેસ થયા હતા. આજે ૩૨મા દિવસે આંક ૨૯૦૦૧ થયો છે. પાછલા ચોવીસ કલાકમાં ૨૫ દર્દીઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતાં કુલ મૃત્યુ આંક વધીને ૧૭૩૬ સુધી પહોંચ્યો છે. ૨૧૦૯૬ દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સતત બીજા દિવસે પોઝિટિવ કેસનો આંક ઘટીને મહાનગરમાં ૨૦૫ અને જિલ્લાના ૧૦ મળી કુલ ૨૨૫ થયો છે.

આ જ રીતે એક ગ્રામ્યનું મળી કુલ ૧૬ દર્દીઓના મૃત્યુ થયા છે. એક તરફ અમદાવાદમાં સતત કેસમાં આંચકાજનક રીતે કેસ ઘટી રહ્યા છે તો ડાયમંડ નગરી સુરતમાં ચોથા દિવસે એકસો ઉપર કેસ નોંધાયા છે ચોવીસ કલાકમાં નવા ૧૭૨ કેસ અને પાંચ દર્દીના મૃત્યુ ઉમેરાયા છે.

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૭૨ કેસ ઉમેરાતાં કુલ પોઝિટિવ કેસનો આંક ૨૯૦૦૦ને પાર થઇ ગયો છે જે ૨૫મેના રોજ ૧૪૪૬૮ કેસ થયા હતા. આજે ૩૨મા દિવસે આંક ૨૯૦૦૧ થયો છે. પાછલા ચોવીસ કલાકમાં ૨૫ દર્દીઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતાં કુલ મૃત્યુ આંક વધીને ૧૭૩૬ સુધી પહોંચ્યો છે. ૨૧૦૯૬ દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સતત બીજા દિવસે પોઝિટિવ કેસનો આંક ઘટીને મહાનગરમાં ૨૦૫ અને જિલ્લાના ૧૦ મળી કુલ ૨૨૫ થયો છે.

આ જ રીતે એક ગ્રામ્યનું મળી કુલ ૧૬ દર્દીઓના મૃત્યુ થયા છે. એક તરફ અમદાવાદમાં સતત કેસમાં આંચકાજનક રીતે કેસ ઘટી રહ્યા છે તો ડાયમંડ નગરી સુરતમાં ચોથા દિવસે એકસો ઉપર કેસ નોંધાયા છે ચોવીસ કલાકમાં નવા ૧૭૨ કેસ અને પાંચ દર્દીના મૃત્યુ ઉમેરાયા છે.

રાજ્યના અન્ય મહાનગરોની સ્થિતિ જોઇએ તો વડોદરા મહાનગરમાં નવા ૩૫ અને જિલ્લામાંથી વધુ ૧૦ મળી કુલ ૪૫ કેસ નોંધાયા છે. સુરતની જેમ એકાએક જામનગર મહાનગર અને જિલ્લામાં સ્થિતિ વણસી રહી છે. કોરોના મહામારીમાં મે મધ્ય સુધી નિયંત્રિત સ્થિતિ ધરાવતા મહાનગરમાં સતત ત્રીજા દિવસે ૧૦ કેસ નોંધાયા છે અને વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. જિલ્લામાંથી પણ એક કેસ મળ્યો છે.

રાજકોટ મહાનગરમાંથી વધુ ૯ અને જિલ્લામાંથી ચાર મળી ૧૩ નવા કેસ ઉમેરાયા છે. ભાવનગર શહેર અને જિલ્લામાંથી મળી નવા પાંચ કેસ આવ્યા છે. ગાંધીનગર મહાનગરમાંથી બે અને જિલ્લામાંથી પાંચ મળી કુલ સાત કેસ ઉમેરાયા છે. જૂનાગઢ મહાનગર અને જિલ્લામાંથી બે બે કેસ આવ્યા છે.

આ સિવાય જિલ્લાઓમાં ભરૂચ ૧૦, આણંદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, નર્મદા ૯-૯, અરવલ્લી ૭, નવસારી ૬, કચ્છ, ગીર સોમનાથ, વલસાડ ૫-૫ તેમજ મહેસાણા અમરેલી ૪-૪ કેસ મળ્યા છે. આ ઉપરાંત મહીસાગર, પાટણ, ખેડા, છોટાઉદેપુરમાંથી ૩-૩, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ કેસ ઉમેરાયો છે. પાટણમાં બે, જામનગર મહાનગર, સાબરકાંઠા અને ગીર સોમનાથમાં ૧-૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે.

ભરૂચ જિલ્લામાં સૌથી ગંભીર સ્થિતિ ફરીથી સર્જાઇ છે. ભરૂચ શહેરમાંથી પાંચ અને જંબુસર, અકલેશ્વર, આમોદમાંથી મળી નવા ૧૦ પોઝિટિવ કેસ મળ્યા છે. આ જ રીતે જામનગર મહાનગરમાંથી ૧૨ કેસ એક સાથે મળ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થતાં કમિશનર અને કલેક્ટરે નવા આદેશો બહાર પાડ્યા છે. અમરેલીના લાઠીમાંથી પિતા-પુત્ર સહિત ચાર નવા કેસ ઉમેરાયા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :