ગુજરાતમાં કુલ 10,989 કેસ 16 મે એ દિવસ દરમિયાન 348 નવા કેસ મળ્યા
ગુજરાતમાં તા.16મી મે ને શનિવારના દિવસ દરમિયાન નવા કુલ 348 મળી આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 10989 થઈ છે અને મૃત્યુઆંક પણ 625એ પહોંચ્યો હોવાની વિગતો શનિવારે મોડી સાંજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જારી કરી હતી.
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, છેલ્લા 24 કલાકમાં 348 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે 264, વડોદરામાં 19, સુરતમાં 34, રાજકોટમાં 1, ભાવનગરમાં 4, ગાંધીનગરમાં 6, પાટણમાં 3, પંચમહાલમાં 1, મહેસાણા તેમજ દાહોદમાં 2-2, ખેડામાં 6, જુનાગઢમાં 1, સાબરકાંઠામાં 3 અને વલસાડમાં 2 કેસનો સમાવેશ થાય છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 19 દર્દીઓ કોરોના વાયરસના કારણે મોતને ભેટ્યા છે.
અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યાનુસાર, કુલ 10989 પોઝિટિવ દર્દીઓમાંથી 6010 લોકોની સ્થિતિ સ્ટેબલ છે જ્યારે 46 લોકો ક્રિટિકલ છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે વધુ 273 દર્દીઓને રજા આપતા કુલ 4308 દર્દીઓ કોરોના વાયરસ સામે લડત મેળવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસના 138407 લોકોની તપાસ કરવામાં આવી છે. હાલ રાજ્યમાં 290750 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે, જ્યારે 9098 સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે. જ્યારે 785 લોકો પ્રાઈવેટ ક્વોરન્ટીનમાં છે. જેથી રાજ્યભરમાં કુલ ક્વોરન્ટીન લોકોની સંખ્યા 300633એ પહોંચી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
