CIA ALERT

ડૉમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવા માર્ગદર્શિકા

Share On :

ડૉમેસ્ટિક કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ પચીસ મે થી શરૂ કરવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ નાગરિકી ઉડ્ડયન ખાતાએ ઍરલાઈન્સ, ઍરપોર્ટ અને પ્રવાસીઓ માટે ગુરુવારે વિગતવાર માગદર્શિકા બહાર પાડી હતી.

વિમાનની વચલી બેઠક ખાલી રાખવામાં આવશે તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમની પૂર્તિ ન થવાની હોવાથી અમે વચલી બેઠક પર પણ પ્રવાસ કરવાની પરવાનગી આપીશું એમ જણાવતાં ઉડ્ડયન ખાતાના પ્રધાને કહ્યું હતું કે આરોગ્ય સેતુ ઍપ ન ધરાવતા પ્રવાસી સૅલ્ફ ડિકલેરેશન ફૉર્મ ભરીને આપશે તેમને વિમાનમાં પ્રવાસ કરતા રોકવામાં નહીં આવે.

વિમાનભાડાંની મહત્તમ અને લઘુતમ મર્યાદા નક્કી કરવામાં આવશે અને મહામારીના આ સમયગાળા દરમિયાન ઍરલાઈન્સોએ તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે, એમ ઉડ્ડયન ખાતાએ કહ્યું હતું.

વિમાનના ભાડાં તેમ જ પ્રવાસીઓની બૅગની સંખ્યા પર નિયંત્રણ લાવવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

પ્રથમ દિવસે એટલે કે પચીસમી મેએ ઍરલાઈન્સોને તેની ક્ષમતા કરતા ત્રીજા ભાગના વિમાન ઉડાડવાની પરવાનગી આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

વિમાનના ઉડ્ડયનના બે કલાક અગાઉ પ્રવાસીઓએ વિમાનમથક પર હાજર થઈ જવું પડશે અને વૅબ ચૅક-ઈન પૂરું કરનારને જ ટર્મિનલની ઈમારતમાં પ્રવેશ આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

પ્રવાસીને માત્ર એક જ બૅગ સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવશે અને વિમાનમાં તેમને ભોજન પીરસવામાં નહીં આવે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે પ્રવાસ દરમિયાન પ્રવાસીએ સતત માસ્ક પહેરી રાખવો પડશે.

ક્ધટેઈનમેન્ટ ઝોનમાં રહેતી વ્યક્તિ વિમાનપ્રવાસ નહીં કરી શકે તેમ જ કોરોના પૉઝિટિવ ધરાવતી વ્યક્તિને પણ પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે, એમ તેમણે કહ્યું હતું. વરિષ્ઠ નાગરિકો, સગર્ભા મહિલાઓ તેમ જ બીમાર લોકોને વિમાનપ્રવાસથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

વિમાનના ઉડ્ડયનની ૬૦ મિનિટ પહેલા પ્રવાસીઓને વિમાનમાં પ્રવેશ આપવાનો આરંભ કરવામાં આવશે અને ઉડ્ડયનની ૨૦ મિનિટ અગાઉ તે બંધ કરી દેવામાં આવશે.

પચીસ મે થી ડૉમેસ્ટિક ફ્લાઈટ સેવા તબક્કાવાર ફરી શરૂ કરવામાં આવશે એવી જાહેરાત ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપસિંહ પૂરીએ બુધવારે કરી હતી.

૧૪ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે આરોગ્ય સેતુ ઍપ ફરજિયાત નહીં હોય, એમ જણાવતાં ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (એએઆઈ)એે કહ્યું હતું કે ટર્મિનલની ઈમારતમાં પ્રવેશતા અગાઉ પ્રવાસીઓ માટે શહેરના મુકરર કરેલા સ્ક્રિનિંગ સેન્ટરમાં આવેલા સ્ક્રિનિંગ ઝોનમાં થર્મલ સ્ક્રિનિંગ કરાવવું ફરજિયાત હશે. ઍરપોર્ટ ઑપરેટરોએ પ્રવાસીઓેને ટર્મિનલની ઈમારતમાં પ્રવેશ આપતા અગાઉ તેમનાં બૅગેજના સૅનિટાઈઝેશનની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે, એમ તેમણે કહ્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :