CIA ALERT

બાંધકામ ઉદ્યોગમાં ગ્રાહકોને આકર્ષવા GST મુક્તિના કિમીયાઓ શોધી કઢાયા!!

Share On :

જયેશ બ્રહ્મભટ્ટ

ઉદ્યોગ પર જી.એસ.ટી. ની અસર પ્રારંભિક તબક્કામાં જોવા મળી હતી. અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ૧૨ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, આવી સ્થિતિમાં જીએસટી લાગુ થયા પછી ઉદ્યોગમાં ખરીદનારાઓની સંખ્યા ઘટી ગઈ હતી. પરંતુ હવે બિલ્ડર્સ અને ડેવલપર્સે પોતાને બુકિંગ સાથે પેમેન્ટ મળે તેમજ ગ્રાહકોને જીએસટીમાંથી મુક્તિ મળે તે માટે અવનવા કીમિયા શોધી કાઢ્યા છે.

બાંધકામ ઉદ્યોગમાં જી.એસ.ટી. કેવી રીતે લાગૂ થાય છે

બાંધકામ ઉદ્યોગમાં ફક્ત અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પર 12 ટકા જી.એસ.ટી. લાગૂ થાય છે. જ્યારે 60 ચો.મી. સુધીના બાંધકામ પર 8 ટકા જીએસટી લાગૂ પડે છે. પૂર્ણ થઇ ગયેલા પ્રોજેક્ટ પર કોઇ જીએસટી લાગૂ થતો નથી. આમ બિલ્ડર્સ અને ઓર્ગેનાઇઝર્સ કમ્પ્લિટ પ્રોજેક્ટસ પર નીલ જીએસટીની જોગવાઇનો બરાબર ફાયદો મળે અને ગ્રાહકને પણ 12 ટકા જીએસટીમાંથી મુક્તિ મળે તે રીતે જુદા જુદા કિમીયાઓ અપનાવી રહ્યાની વિગતો માર્કેટમાંથી મળી રહી છે.

હોમબાયર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટની જોગવાઇ છે જ પણ સ્પષ્ટતાના અભાવે જીએસટી મુક્તિના કિમીયાઓ સારા લાગી રહ્યા છે

ડેવલપર્સ અને મિલક્ત ખરીદનારાઓ માટે જીએસટીને ટેક્સ-તટસ્થ દરખાસ્ત માનવામાં આવે છે, જેમાં હોમ-બૉયર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ લાભો પાસ કરવાની જોગવાઇ જીએસટીના કાયદામાં ઉપલબ્ધ છે જ. જો કે, આ લાભની રકમ કેટલી અને ક્યારે આપવી તે અંગેની ટાઇમલાઇન અંગેની સ્પષ્ટતાના અભાવથીને કારણે જીએસટીને ટાળવા માટેનાં રસ્તાઓ અને માધ્યમો શોધી કાઢવામાં આવ્યા હોવાનું જણાય આવે છે.

કિમીયો નં.1

હાલમાં માર્કેટમાં પ્રચલિત કેટલાક કિમીયાઓ અંગે એવી વિગતો મળે છે કે અન્ડર કન્સ્ટ્રક્શન હોય તેવા પ્રોજેક્ટ જો ખરીદનાર બુકિંગ કરાવે તો તેમની ની રકમ ને લોન સ્વીકારીને બિલ્ડર બુકિંગ કન્ફર્મ કરી દે છે. બાદમાં જ્યારે પ્રોજેક્ટ પૂરો થાય અને સંબંધિત ઓથોરિટી તરફથી બિલ્ડીંગ યુઝ પરમિશન મળી જાય એ પછી પ્રોજેક્ટ બુકિંગ પેટે લીધેલી અને લોન પેટે બતાવેલી કરાવનાર ગ્રાહકને વ્યાજ સહિત કરે છે, અને એ જ રકમ પ્રોજેક્ટ ખરીદીની ચુકવણી પેટે બિલ્ડરને આપી દે છે. આવી સ્થિતિને કારણે ને 12 ટકા જી એસ ટી ની રકમ ભરવામાંથી ગ્રાહકને મુક્તિ મળી જાય છે કેમકે જીએસટી કમ્પ્લિટ થયેલા પ્રોજેક્ટ પર લાગુ પડતો નથી. 12% જી.એસ.ટી નો નો અમલ ફક્ત અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો છે.

કિમીયો નં.2

આ તો થઈ એક છટકબારી બીજી છટકબારી એ પણ છે કે હાલમાં બંધાઈ રહેલા પ્રોજેક્ટમાં ગ્રાહક ખરીદી કરવાનું ફાઇનલ કરે ત્યારે ગ્રાહકની પસંદગીનું મકાન, ફ્લેટ કે દુકાન બિલ્ડર્સ દ્વારા બ્લોક કરી દેવામાં આવે એના બુકિંગ પેટે અને ડેવલોપર વચ્ચે ખાનગીમાં એગ્રિમેન્ટ તેમજ રોકડિયા વ્યવહાર થાય અને જ્યારે પ્રોજેક્ટ પૂરો થાય અને બિલ્ડીંગ યુઝ પરમિશન મળ્યા પછી ગ્રાહક વ્હાઇટમાં પૂરેપૂરી રકમની ચુકવણી કરી દે છે. આના કારણે ગ્રાહકને 12% જી.એસ.ટી.માથી મુક્તિ મળી જાય છે. કેમકે પૂર્ણ થયેલ આ પ્રોજેક્ટ પર જીએસટી લાગુ પડતો નથી.

જોકે બિલ્ડરો અને ડેવલોપર આવી સવલત ફક્ત તેમના નજીકના કે ઓળખીતા  આપે છે કારણકે બિલ્ડર્સને લાંબા ગાળે નુકસાન થવાની પૂરેપૂરી રહેલી છે.

કિમીયો નં.3

કેટલાક બિલ્ડર્સ પોતાના પ્રોજેક્ટમાં ખરીદી કરવા માંગતા ગ્રાહકોને એવી પણ ઓફર આપે છે કે તેમને જીએસટી લાગૂ નહીં થાય. કેમકે બિલ્ડર્સ ગ્રાહક વતી જીએસટીની રકમ ચૂકવવાની જવાબદારી પોતાના શિરે જ ઉઠાવી લે છે. તેઓ ગ્રાહકોને જે તે ખરીદીની એક બોક્સ અમાઉન્ટ એટલે કે લમસમ રકમ જ ઓફર કરે છે અને બોક્સ પ્રાઇસ પર જ સોદો કરી નાંખે છે. આવો માર્ગ અપનાવીને બિલ્ડર્સ ગ્રાહકનું બુકિંગ અને બુકિંગ અમાઉન્ટ પણ લઇ શકે છે. બિલ્ડર્સને આવા મામલામાં 7 ટકા જીએસટીની રકમ ભરવાની જવાબદારી ઉઠાવવી પડે છ ેજે લમસમ બોક્સ પ્રાઇસમાં પહેલેથી જ અામેજ કરી દીધેલી હોય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :