ST બસ તંત્રના 45 હજાર કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરી જતા હજારો મુસાફરો રઝળ્યા
- એસટીના કર્મચારીઓ સાતમાં પગારપંચના અમલની માંગણી કરી રહ્યા છે.
- તેમના પરના કેસ પાછા ખેંચવાની માંગ કરવામાં આવી છે.
- એસટી બસના કર્મચારીઓને વર્ગ 3 ના કર્મચારીઓ ગણવામાં આવે છે પરંતુ તેમને પગાર વર્ગ 4નાં કર્મચારીઓ પ્રમાણે આપવામાં આવે છે.
ગુજરાત રાજ્યમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટના 45 હજાર કર્મચારીઓ આજથી માસ સીએલ પર છે, જેને કારણે રાજ્યભરમાં એસટી બસ ઠપ થઈ ચૂકી છે.
તા.22મીએ યોજાયેલી રાજ્યના એસટી નિગમના ત્રણ યુનિયનની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. પડતર પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે બેઠકમાં ચર્ચા થઈ હતી, સાથે જ માસ સીએલને સફળ બનાવવા માટે વ્યૂહરચના પણ બનાવાઈ હતી.
આ બેઠકમાં થયેલા નિર્ણય પ્રમાણે એસટી નિગમના ત્રણેય યુનિયન બુધવારે મધરાતથી માસ સીએલ પર ઉતર્યા છે. જેને કારણે રાજ્યમાં 7 હજાર જેટલી બસો ડેપોમાં જ પડી રહી છે.
એસટીના કર્મચારીઓનું કહેવું છે કે તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓને મળીને તેમના પ્રશ્નોની રજૂઆત કરી છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તેમણે માલ સીએલ પર જવાનો નિર્ણય કર્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
