બાળકને વહેલું ભણતું કરી દેનારા માબાપે ધો.12 પછી પસ્તાવાનો વારો આવે છે
બાળકને વહેલું ભણતું કરી દેનારા માબાપે ધો.12 પછી પસ્તાવાનો વારો આવે છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાત સરકારે આમ તો ફેબ્રુઆરીમાં એક આવકારદાયક નિર્ણય લઇને વર્ષોથી ચાલી આવતી એક ગંભીર ભૂલને સુધારી લીધી છે. આ નિર્ણયનો અમલ કરવા અંગેનો સરક્યુલર તા.3જી જૂન 2020ના રોજ બહાર પાડવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે એવો નિર્ણય કર્યો છે કે હવે પછી રાજ્યમાં એવા બાળકોને જ ધો.1માં પ્રવેશ આપવામાં આવશે જેમની ઉંમર તા.1લી જૂને 6 વર્ષની પૂર્ણ થઇ ચૂકી હોય. આવા નિર્ણયના બેકગ્રાઉન્ડમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઇ કારણભૂત મનાય છે.
ધો.1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમરનો પરિપત્ર

હજુ 3 વર્ષ સુધી એટલે કે 2022-23 સુધી 5 વર્ષના બાળકને ધો.1માં પ્રવેશ આપી શકાશે

પરિપત્ર પૂર્વે ગેઝેટ ફેબ્રુઆરી 2020માં પ્રસિદ્ધ થઇ ચૂક્યું છે

ઘણી બધી શાળાઓ આંધળે બહેરું કૂટાય એમ 5 વર્ષના બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપ્યે રાખે છે
દેશ અને રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 6થી 13 વર્ષના બાળકો માટે અમલી છે. પરંતુ, ગુજરાતમાં ઘણીબધી સ્કુલો પાંચ વર્ષના બાળકોને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપી રહી છે. જેને કારણે વિદ્યાર્થી એક વર્ષ વહેલો ધો.10 અને ધો.12ની પરીક્ષા આપી ચૂક્યો હોય છે. જેની સીધી અસર મેડીકલ કે એન્જિનિયરિંગમાં પ્રવેશની વય મર્યાદા પર પડે છે.
રાજ્યમાં એવી અનેક શાળાઓ છે જ્યાં ત્રણ વર્ષની વયે બાળકને જુનિયર કે.જી., ચાર વર્ષે સિનિયર કે.જી. અને પાંચમાં વર્ષે સીધા પહેલા ધોરણમાં પ્રવેશ આપી દેવામાં આવે છે. આ બાળક જ્યારે ધો.12 પાસ કરે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે મેડીકલ કે એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે એક વર્ષની રાહ જોવી પડશે.
મેડીકલ અને એન્જિનિયરિંગ જેવી મહત્વની કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટેની વય મર્યાદા 17 વર્ષની કરવામાં આવી છે.
મા-બાપે સમજવું જોઇએ બાળક 6 વર્ષે જ પહેલા ધોરણમાં આવે એ રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે
હકીકતમાં ગુજરાતમાં પૂર્વપ્રાથમિક એટલે કે બાળમંદિરોનો એવો ટ્રેન્ડ ચાલ્યો છે કે માબાપ ખુદ એવું ઇચ્છે છે કે તેમનું બાળક વહેલી તકે સ્કુલમાં પ્રવેશ મેળવી લે. હજુ તો અઢી વર્ષનું બાળક થાય એટલે સીધા નર્સરીમાં પ્રવેશ, ત્રણ વર્ષે જુનિ.કે.જી. અને ચોથા વર્ષે સિનિ. કે.જી.માં અભ્યાસ કરાવીને સીધા પહેલા ધોરણમાં બાળકને ભણતું કરી દેવામાં આવે છે. માબાપને એ સમયે નહીં પણ જ્યારે ધો.12 પછી કોલેજમાં પ્રવેશ માટે એક વર્ષની રાહ જોવાની નોબત આવે ત્યારે ખબર પડે છે કે કેટલી ગંભીર ભૂલ પૂર્વપ્રાથમિક શિક્ષણમાં કરી હતી.
Latest on this web
- 16/02/2026થી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર
- Gujarat: 165 ડેપ્યુટી મામલતદારને મામલતદારનું Promotion
- મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ મંદિરના દ્વાર આગમી 42 કલાક માટે ખુલ્લા રહેશે
- મહાશિવરાત્રિ (15/02/2026) પર 300 વર્ષ બાદ બની રહ્યો છે આ દુર્લભ સંયોગ
- બાંગ્લાદેશમાં BNP 17 વર્ષ બાદ ફરી સત્તામાં

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


