સુરતના ગોપીપુરામાં જૈન સાધ્વીને છેડતીનો ત્રીજો બનાવ, સમાજ હચમચી ઉઠ્યો
જૈન બહુલ વસતિ, તેમજ જૈન દેરાસરોના વિસ્તાર તરીકે જાણીતા સુરતના ગોપીપરા વિસ્તારમાં એક જૈન સાધ્વીની છેડતીની ઘટનાએ સમગ્ર જૈન સમાજને હચમચાવી મૂક્યો છે. તા.10મી નવેમ્બર 2018ના રોજ શનિવારે રાત્રે સાધ્વી જૈન ઉપાશ્રયમાં સુતા હતા ત્યારે કોઇ અજાણ્યાએ આવીને છેડતી કરી હતી સાધ્વીએ બુમાબુમ કરતા અજાણ્યો ભાગી છુટયો હતો. છેલ્લાં બે મહિનામાં આવી ત્રીજી ઘટના બનતા જૈન સમાજમાં રોષ વ્યાપી ગયો છે.
ગોપીપરા વિસ્તારમાં આવેલા જૈન ઉપાશ્રયમાં સાધ્વી એકલા હતા એટલે તાળા મારીને સુતા હતા પણ શનિવારે રાત્રે કોઇ અજાણ્યો તાળું તોડીને સાધ્વીના રૂમમાં ઘુસ્યો હતો અને છેડતી કરી હતી. સાધ્વીએ બુમાબુમા કરી મુકતા અજાણ્યો ફરાર થઇ ગયો હતો.ઘટનાની જાણ થતા જૈન સમાજના લોકો ભેગા થઇ ગયા હતા. બે મહિનામાં આવી ત્રીજી ઘટના બનવાને કારણે જૈન સમાજ આગામી દિવસોમાં પોલીસ કમિશ્નરને રજૂઆત કરીને પેટ્રોલિંગની માગ કરશે એમ જાણવા મળ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
