CIA ALERT

ઔરંગાબાદમાં અરેરાટીપૂર્ણ ઘટના : શ્રમિકો પરથી માલગાડી ફરી વળતા 16નાં મોત

Share On :

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બનેલી એરેરાટીપૂર્ણ ઘટનામાં માલગાડી ટ્રેનના પાટા પર વિશ્રામ કરી રહેલા મજૂરો પર ફરી વળતા 16 મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. દુર્ઘટના તા.8મી મેએ શુક્રવારે ઔરંગાબાદની પાસે આવેલા કરમાડ સ્ટેશનની નજીક બની છે.  

ઔરંગાબાદ ટ્રેન દુર્ધટના અંગે એસપી મોક્ષદા પાટિલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી 16 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકોનો આબાદ બચાવ થયો છે જે પાટા પર બેઠા હતા. આ શ્રમિકો પગપાળા પોતાને વતન તરફ જઇ રહ્યા હતા. 

દુર્ઘટના અંગે રેલવેએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, ટ્રેકમાં કેટલાક મજૂરોને જોઈને પાયલટે ટ્રેનને રોકવાના પ્રયાસ કર્યા હતા પરંતુ ત્યાં સુધી બહું મોડું થઈ ગયું હતું. દુર્ઘટના બદનાપુર અને કરમાડ સ્ટેશનની વચ્ચે પરભાની-મનમાડ સેક્શનની છે. ઈજાગ્રસ્તોને ઔરંગાબાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

તમામ મજૂરો એક સ્ટીલ ફેક્ટ્રીમાં કામ કરત હતા. મજૂરો ઔરંગાબાદથી તેમના ગામે જતી ટ્રેન પડકીને જાલનાથી ઔરંગાબાદ પગપાળા જઈ રહ્યા હતા. મોડી રાત થઈ જતા બધા આરામ કરવા માટે પાટા પર ઊંઘી ગયા હતા. સવારે આ જ પાટા પરથી માલગાડી પસાર થઈ જતા 14 મજૂરો તેની ઝપટમાં આવી ગયા હતા. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :