કોરોના પરિસ્થિતમાંથી બહાર આવવા કેન્દ્ર સરકારના પેકેજોનો બુસ્ટર ડોઝ
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે (FM Sitharaman) અલગ અલગ આઠ રાહત પેકજ (guarantee scheme)ની જાહેરાત કરી છે. જેમાં સૌથી પહેલા સ્વાસ્થ્ય ક્ષેત્ર (Health sectors) માટે એક નવું પેકેજ જાહેર કરાયું હતું.
નાણા મંત્રીએ કોવિડ પ્રભાવિત ક્ષેત્ર માટે 1.1 લાખ કરોડ લોન ગેરંટી સ્કીમની જાહેરાત કરી છે. કોરોના સંકટને પગલે ઊભી થયેલા પડકારોનો સામનો કરવા માટે કોવિડ-19થી પ્રભાવિત ક્ષેત્રો માટે 1.1 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજમાં સ્વાસ્થ્ય ક્ષેત્રને 50 હજાર કરોડ અને અન્ય ક્ષેત્રો માટે 60 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયા.
>> અન્ય ક્ષેત્રો માટે 60 હજાર કરોડ રૂપિયા.
>> સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે લોન પર 7.95%થી વધારે વાર્ષિક વ્યાજ નહીં હોય.
>> અન્ય ક્ષેત્રો માટે વ્યાજનો દર 8.25%થી વધારે નહીં હોય.
સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 100 કરોડથી વધારે લોન રકમ
લોન ગેરંટી સ્કીમ હેઠળ હેલ્થ સેક્ટર માટે 100 કરોડથી વધારે લોન રકમ રાખવામાં આવી છે. જેના પર મહત્તમ વ્યાજ 7.95 ટકા લાગશે. જ્યારે અન્ય સેક્ટર્સ માટે મહત્તમ વ્યાજ 8.25 ટકા રાખવામાં આવ્યું છે. જેના કવરેજમાં જરૂરી પ્રમાણે ફેરફાર કરવામાં આવશે.
ECLGS
>> ECLGSમાં 1.5 લાખ કરોડ રૂપિયા વધારાના આપવામાં આવશે.
>> ECLGS 1.0, 2.0, 3.0માં અત્યારસુધી 2.69 લાખ કરોડ રૂપિાયનું વિતરણ
>> સૌથી પહેલા આ સ્કીમમાં ત્રણ લાખ કરોડ રૂપિયાની જાહેરાત થઈ હતી.
>> હવે આ સ્કીમની વિસ્તાર 4.5 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે.
>> અત્યારસુધી શામેલ તમામ સેક્ટર્સને તેને લાભ મળશે.
ક્રેડિટ ગેરંટી સ્કીમ
>> નાના વેપારી, વ્યક્તિગત એનબીએફસી, માઈક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ 1.25 લાખ સુધીની લઈ શકશે.
>> જેના પર બેંકના MCLR પર વધારેમાં વધારે 2 ટકા ઉમેરીને વ્યાજ લઈ શકાશે.
>> આ લોનની મુદત ત્રણ વર્ષ હશે. સરકાર ગેરંટી આપશે.
>> આનો ઉદેશ્ય નવી લોનના વિતરણનો છે.
>> 89 દિવસના ડિફોલ્ટર સહિત તમામ પ્રકારના બોરોઅર આ માટે યોગ્ય ગણાશે.
>> આ સ્કીમનો લાભ 25 લાખ લોકોને મળશે.
>> આશરે 7500 કરોડ રૂપિયાનો જોગવાઈ કરવામાં આવશે. 31 માર્ચ, 2020 સુધી લાભ લઈ શકાશે.
પર્યટન ક્ષેત્ર:
ટૂરિસ્ટ ગાઇડ અને બીજા સ્ટેક હોલ્ડર્સ માટે આ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જેમાં વ્યક્તિગત લોન લઈ શકાશે. નવો બિઝનેસ શરૂ કરવા માટે પણ મદદ કરવામાં આવશે. જેમાં 100 ટકા ગેરંટી સરકાર તરફથી આપવામાં આવશે. 10 લાખ રૂપિયા પ્રતિ એજન્સી સુધી આપવામાં આવશે. જ્યારે લાઇસનધારક ટૂરિસ્ટ ગાઇડને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. જેમાં કોઈ પ્રોસેસિંગ કે ક્લૉઝર ચાર્જ નહીં હોય. આ ગેંરટી મુક્ત યોજના છે.
આત્મનિર્ભર ભારત રોજગાર
>> આ સ્કીમની મુદત વધારીને 31 માર્ચ, 2022 સુધી કરવામાં આવી છે.
>> અત્યારસુધી 21.42 લાખ લાભાર્થીઓને 9.2 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી.
>> આ સ્કીમ અતંર્ગત સરકાર 15 હજારથી ઓછી કમાણી કરતા કર્મચારીઓના અને કંપનીઓના પીએફની ચૂકવણી કરશે.
>> આ સ્કીમમાં 22,810 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. આશરે 58.50 લાખ લોકોને લાભ મળશે.
>> સરકાર કર્મચારી-કંપનીના 12%-12%નું પીએફ ભોગવશે.
કૃષિ ક્ષેત્ર
નાણા મંત્રીના કહેવા પ્રમાણે કૃષિ ક્ષેત્રમાં વર્ષ 2020-21 માટે 389.92 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા. જ્યારે 2021-22 દરમિયાન 432.48 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા છે. આ માટે 85 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ ચૂકવણી કરવામાં આવી છે. જ્યારે ડીએપી સહિત તમામ પ્રકારના ન્યૂટ્રિશન માટે સબસિડીની રકમ 14 હજાર કરોડ રૂપિયાથી વધારેનો વધારો કરવામાં આવ્યો છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે.
પ્રધાનમંત્રી ગ્રામીણ અન્ન યોજના
આ યોજના અંતર્ગત ગત વર્ષે 80 કરોડ લોકોને દર મહિને પાંચ કિલો ચોખા અને અન્ય અનાજ આપવામાં આવ્યું હતું. આ વખતે પણ મેથી નવેમ્બર સુધી ગરીબો માટે યોજના ચાલૂ રાખવામાં આવી છે. આ વખતે યોજના પાછળ 93,869 કરોડ રૂપિાય ખર્ચ થશે. બંને વર્ષને સાથે ગણીએ તો આ યોજના પાછળ કુલ 2 લાખ 27 હજાર 840 કરોડ રૂપિયા ખર્ચ થશે.
જાહેર સ્વાસ્થ્ય માટે 23,220 કરોડ રૂપિયા
ઇમરજન્સી હેલ્થ સેવા માટે આ વર્ષે 23,220 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષે આ માટે 15 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જેમાંથી 9,000થી વધારે કોવિડ હેલ્થ કેર સેન્ટર બન્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
