આચારસંહિતા લાગુ થયા બાદ મરાઠવાડામાં 91 ખેડૂતની આત્મહત્યા
લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ત્યારથી મરાઠવાડામાં 91 ખેડૂતે આત્મહત્યા કરી હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. ખેડૂતોનું જીવનધોરણ સુધારવા માટે લોનમાફીથી પેન્શન આપવા સુધીનાં આશ્ર્વાસનો પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવી રહ્યાં છે, પરંતુ આ જ સમયગાળા દરમિયાન આત્મહત્યા કરી રહેલા ખેડૂતો સંદર્ભે રાજકીય પક્ષો એક શબ્દ પણ ઉચ્ચારવા તૈયાર નથી. ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી 14 એપ્રિલ સુધીમાં 220 ખેડૂતે આત્મહત્યા કરી છે.

148 ખેડૂતને સરકારી મદદ આપવામાં આવી હોવા છતાં 54 પ્રકરણ અપાત્ર ઠર્યા હતા. 18 પ્રકરણની તપાસ ચાલી રહી છે. માત્ર માર્ચ મહિનામાં જ 69 ખેડૂતે આત્મહત્યા કરી હોઈ છેલ્લા પખવાડિયામાં અંદાજે બાવીસ ખેડૂતની આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. દરમિયાન નાગઠાણે સ્થિત ખેડૂત ભિકાજી ઉર્ફે જગદીશ સંપત શેળકે (42)એ દેવાથી કંટાળી મંગળવારે બપોરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. શેળકેએ સાડાત્રણ લાખ રૂપિયાની લોન લીધી હતી.
લોનમાફીનો લાભ ન મળતાં છ ટકાને બદલે બાર ટકા વ્યાજદરે લોન ભરવાનો વારો આવતાં હતાશામાં શેળકેએ આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


