‘ઇલેકશન ડયૂટી’ ખાનગી શાળાના શિક્ષકોને લાગુ થતી નથી
‘ઇલેકશન ડ્યૂટી’ ખાનગી શાળાના શિક્ષકોને લાગુ થતી ન હોવાની કબૂલાત કેન્દ્રીય ચૂંટણી પંચે બુધવારે તા.3 એપ્રિલ 2019ના રોજ મહારાષ્ટ્ર-મુંબઇ હાઈ કોર્ટેમાં કરી હતી, પરિણામે ખાનગી શાળાના શિક્ષકોને મોટી રાહત મળી છે.
લોકસભાની ચૂંટણી દરમિયાન ખાનગી સ્કુલોના શિક્ષકોને તેમજ બિન અનુદાનિત શાળાઓના શિક્ષકોને આડેધડ રીતે ચૂંટણી લક્ષી કામગીરી સોંપવામાં આવી હતી, જેની સામે મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષક મહાસંઘે દાખલ કરેલી અરજી પર ન્યાયાધીશ અભય ઓક અને ન્યાયાધીશ મનોજ સંકલેની ખંડપીઠ સામે સુનાવણી શરૂ હતી.
ચૂંટણીઓ નજીક આવતા જ રાજ્યભરના સરકારી કર્મચારીઓ સાથે શિક્ષકોને પણ ચૂંટણી પંચ કામે લગાડે છે. આ વખતે પણ ચૂંટણી પંચે બિન અનુદાનિત શાળાના પહેલાથી ચોથા ધોરણના શિક્ષકોની યાદી માગી હતી. તેના વિરોધમાં બિન અનુદાનિત શાળા મહાસંઘે મુંબઈ
હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. નિયમ અનુસાર માત્ર અનુદાનિત શાળાના શિક્ષકોને જ ચૂંટણીના કામ માટે બોલાવી શકાય છે, કારણ કે આ શાળાને સરકાર પાસેથી અનુદાન મળે છે. જોકે, દર વર્ષે ખાનગી શાળાના શિક્ષકોને પણ ચૂંટણીના કામમાં ઘસેડવામાં આવે છે, તે ખોટું હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
