મોદી સરકારને પછાડવા કોંગ્રેસ અત્યારથી જ ચૂંટણી વ્યૂહરચના ઘડી રહી છે
કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાફેલ ડીલ, એનઆરસી, વધતી રોજગારી સહિત અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા પછી કોંગ્રેસે આ મામલે વિપક્ષી દળોની સાથે દેશવ્યાપી અભિયાન છેડવાનો નિર્ણય લીધો છે. આ બેઠકમાં આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન વિશે પણ ચર્ચા થઈ હતી.
કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં મોદી સરકારને જાહેર અભિયાન દ્વારા ભ્રષ્ટાચારના મામલે ભીડવવા માટે નિર્ણય લેવાયો હતો, જેમાં બેન્ક કૌભાંડો, રાફેલ ડીલ અને અર્થતંત્રની ખરાબ સ્થિતિ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જ્યાં કોંગ્રેસના નેતાઓએ આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) સહિતના મહત્ત્વના મુદ્દાઓ અંગે વ્યૂહનીતિ બનાવવા માટે વિચારણા કરી હતી.
કાર્યસમિતિની મીટિંગમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેમકે પૂર્વ પીએમ મનમોહનસિંઘ, એ. કે. એન્ટની, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, અહમદ પટેલ અને અશોક ગેહલોત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જો કે પૂર્વ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી મીટિંગમાં હાજર રહ્યા નહોતા. આ બીજીવખત રાહુલ ગાંધીના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની મીટિંગ યોજાઈ હતી.
કોંગ્રેસે આ બેઠકમાં નક્કી કર્યું છે કે ભ્રષ્ટાચારનો મુદ્દો સંસદની બહાર અને સંસદની અંદર બંને રીતે ઉઠાવવામાં આવશે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે પાર્ટી આ માટે જન આંદોલન શરૂ કરશે. જે જન આંદોલન આગામી દિવસોમાં રાજ્યના કોંગ્રેસી નેતાઓ સાથે મસલત કર્યા પછી શરૂ કરવામાં આવશે.
રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું હતું, ‘સીડબલ્યુસીમાં આજે એક ટીમ તરીકે મળ્યા હતા. અમે દેશમાં હાલની રાજકીય સ્થિતિ અને કોંગ્રેસ માટે મોદી સરકારની નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર, એનઆરસી જેવા મુદ્દાઓ ઉઠાવવાની તક હોવાની ચર્ચા કરી હતી. આજની મીટિંગમાં સામેલ થનારા સૌનો આભાર.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


