23/6/22: અફઘાનિસ્તાનમાં ભયંકર ભૂકંપે 1000ના જીવ હણી લીધા
અફઘાનિસ્તાનમાં મોડી રાત્રે આવેલા ભૂકંપે તબાહી મચાવી છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે કાટમાળમાં દબાઇ જવાથી ૧૫૦૦થી વધુ લોકો ઘવાયા છે. અનેકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. તાલિબાને સત્તા મેળવ્યા બાદ અનેક આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓ અફઘાનિસ્તાન ખાલી કરી ચુકી છે જેને પગલે હાલ રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ ભારે મુશ્કેલી આવી રહી છે.
ભૂકંપના આ આચકા અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે અનુભવાયા હતા જેની તિવ્રત્તા ૬.૧ની હોવાનું સામે આવ્યું છે. અમેરિકાના જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિન્દૂ અફઘાનિસ્તાનના દક્ષિણ પૂર્વમાં ખોસ્ત શહેરમાં હતું. સ્થાનિક મીડિયા અને પ્રશાસનના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૫૦૦થી વધુ લોકો ઘવાયા છે.
અંતરીયાળ વિસ્તારોમાં અનેક લોકો માર્યા ગયા હોવાની શક્યતાઓ છે જેથી મૃત્યુઆંક વધી શકે છે. આંતરરાષ્ટ્રીય ેએજન્સીઓના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિન્દૂ પેટાળમાં ૧૦ કિમી જ દુર હતું જેને પગલે વધુ અસર જોવા મળી હતી જ્યારે આંચકા આશરે ૫૦૦ કિમી સુધી અનુભવાયા હતા. સૌથી વધુ અસર અફઘાનિસ્તાનના પાકટિકા વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. યૂરોપિયન એજન્સીઓના જણાવ્યા અનુસાર ભારતમાં પણ આ ભૂકંપના આચકાની અસર જોવા મળી હતી.
22/6/22: ભૂકંપે અફઘાનિસ્તાનમાં ભયંકર તબાહી મચાવી
ભૂકંપે અફઘાનિસ્તાનમાં ભયંકર તબાહી મચાવી છે. સવારમાં આવેલા આ ભૂકંપમાં ત્યાં 130 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. ભૂકંપના આ આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) ના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતું.
ભૂકંપની મહત્તમ તીવ્રતા હજુ સુધી નક્કી નથી થઈ શકી. જોકે, રિક્ટર સ્કેલ પર 7.0 અથવા તેનાથી વધુના તીવ્રતા વાળા ભૂકંપને સામાન્યથી ખતરનાક માનવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં આવેલો આ ભૂકંપ તેનાથી થોડી જ ઓછી તીવ્રતા વાળો હતો.
અહેવાલ પ્રમાણે ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ સહિત બાકી શહેરોમાં પણ અનુભવાયા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપની ચર્ચા કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે, ભૂકંપના આ આંચકા થોડી સેકન્ડો માટે અનુભવાયા હતા. પરંતુ તેનાથી ડરીને લોકો નાસીપાસ થઈ ગયા હતા.
આ અગાઉ શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારે ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, અને મુલતાનમાં આ આંચકા અનુભવાયા હતા. આ આંચકા ફૈસલાબાદ, એબટાબાદ, સ્વાત, બુનેર, કોહાટ અને મલકાંડીમાં પણ અનુભવાયા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now