CIA ALERT

આજે દિવાળી : ગુજરાતીઓ ઉત્સવમાં ગળાડૂબ

Share On :

દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે. દિવાળીનો તહેવાર ‘પ્રકાશના પર્વ’ તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, ‘મનના પ્રકાશની જાગૃતિ’ સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્ત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દીપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મીઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર તો એકસરખો જ છે આંતરિક પ્રકાશનો આનંદ લેવો.

રાજ્યમાં દિવાળી પર્વ ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો છે અને બજારોમાં રોનક જોવા મળી રહી છે. ઘરઆંગણે રંગોળી, દીવડા તથા રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. આજે કાળી ચૌદશ નિમિત્તે શ્રી કાલભૈરવ ભગવાનની ઉપાસના કરવામાં આવી હતી. આજે દિવાળીના દિવસે રાત્રીના સમયે ફટાકડાની આતશબાજી સર્જાશે અને સૌ કોઈ અવનવા ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરશે જ્યારે સોમવારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બેસતું વર્ષ ઉજવાશે અને નવા વર્ષની શુભેચ્છાની આપ-લે થશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :