DEO Suratની વેબસાઇટ પર 27 માર્ચથી પરીપત્રો મૂકવાના બંધ : તંત્ર વ્હોટ્સએપના ભરોસે
કોવીડ-19માં શિક્ષણ વિભાગ કે ગુજરાત બોર્ડ લોકો સુધી પહોંચવા વેબસાઇટ પર મદાર રાખે છે ત્યારે
Jayesh Brahmbhatt 98253 44944
કોવીડ-19માં જ્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ મહત્વની માહિતીઓ, પરીપત્રો, નોટિફિકેશન્સ વગેરે છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે પોતાની સત્તાવાર વેબસાઇટનો સહારો લઇ રહ્યા છે ત્યારે સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ઉલ્ટી ગંગા વહી રહી છે. વર્તમાન જિલ્લા શિક્ષણાધિકારી રાજ્યગુરુ સાહેબે કોવીડ-19નું લૉકડાઉન શરૂ થયું તેના 3 જ દિવસ બાદ શિક્ષણાધિકારીની કચેરી ની સત્તાવાર વેબસાઇટ https://deosurat.org/Circulars.aspx પર સરક્યુલર મૂકવાની પોતાના કર્મચારીઓને ના પાડી દીધી છે.

https://deosurat.org વેબસાઇટ પર છેલ્લો પરિપત્ર તા.26મી માર્ચ 2020ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. એ પછી કોવીડ-19ની સિચુએશન, માસ પ્રમોશન, ઓનલાઇન ક્લાસીસ, ધો.10-12 સાયન્સના રીઝલ્ટ વગેરે મળીને ડી.ઈ.ઓ. કચેરીએ 250થી વધુ સરક્યુલર સ્કુલો જોગ જારી કર્યા છે. પરંતુ, એક પણ સરક્યુલર ડીઈઓ સુરતની વેબસાઇટ મૂક્યો નથી.
ડીઇઓ રાજ્યગુરુ સાહેબે મહત્વના સરક્યુલર જે તે સ્કુલોના ક્લાર્ક, આચાર્યો કે ટ્રસ્ટીઓને વ્હોટ્સએપ પર અથવા તો ઇમેલ આઇડી પર મોકલવાની સૂચના આપી છે. આવી સ્થિતિમાં ઇમેલ અને વ્હોટ્સ એપ નંબરો બદલાતા રહેતા હોઇ, અનેક શાળાઓ મહત્વના સરક્યુલરથી વંચિત રહી જાય છે. ડી.ઈઓ. કચેરી દ્વારા મોકલવામાં આવતા સેંકડો ઇમેલ રિટર્ન થઇ રહ્યા છે. ગુજરાત સરકાર કે ગુજરાત બોર્ડ કોવીડ-19માં ઉદભવેલી પરિસ્થિતિમાં લોકો સુધી પહોંચવા માટે જો વેબસાઇટ્સનો ઉપયોગ કરતા હોય તો ડી.ઈ.ઓ સુરતને વેબસાઇટ પર સરક્યુલર અપલોડ કરવામાં શું વાંધો આવે છે.
વ્હોટ્સએપ ભરોસે
શહેર જિલ્લાની બે હજારથી વધુ શાળાઓ છેલ્લા અઢી મહિનાથી સુરત જિલ્લા શિક્ષણાધિકારીની મહત્વની સૂચનાઓ, પરીપત્રો, નોંધ વગેરે માટે વ્હોટ્સએપ કે ઇમેલના ભરોસે બેઠી છે, કેટલાય એવા સરક્યુલર છે જે વ્હોટ્સએપ પર મેસેજોના ઢગલામાં અટવાય ગયા અને સ્કુલોએ મહત્વની સૂચનાઓથી વંચિત રહેવું પડ્યું છે.
અનેક શાળાઓ સુધી મહત્વના પરીપત્રો પહોંચી શક્યા નથી.
સુરત શહેર ઉપરાંત જિલ્લાની અંદાજે 2000થી વધુ શાળાઓનો વહીવટ સુરત ડી.ઇ.ઓ. કચેરીના તાબા હેઠળ હોય છે. રોજેરોજ ડી.ઇ.ઓ. કચેરી દ્વારા કંઇકને કંઇક સૂચનાઓ, પરીપત્રો, કાર્યવાહીઓ, સુધારા વધારા નોંધ વગેરે જોગ સ્કુલોને પરીપત્રો પાઠવવાના થતા હોય છે ત્યારે ડી.ઇ.ઓ.ની વેબસાઇટ પર તેનું અપલોડેશન થવું જરૂરી બન્યું છે.
સોમ અને ગુરુવારે મુલાકાતી મળતા નથી, અન્ય દિવસોમાં મુલાકાતી જાય તો કહે સોમ-ગુરુએ આવજો
જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્યગુરુ સામે મુલાકાતીઓની પણ એક ગંભીર ફરીયાદ એ છે કે તેઓ મુલાકાતીઓને ન્યાય આપતા નથી. અનેક લોકો કલાકો સુધી તેમની રાહ જોઇને કચેરીના ધક્કા ખાય રહ્યા છે. નિયમાનુસાર સોમ અને ગુરુવારે તેઓ મુલાકાતીને મળે છે એવી જાહેરાત કરવામાં આવી છે. પણ સોમવાર અને ગુરુવારે તેઓ મુલાકાતીઓના સમયે કચેરીમાં હોતા જ નથી. સોમ અને ગુરુ સિવાયના દિવસોએ મુલાકાતીઓ જાય ત્યારે એમને સોમવાર કે ગુરુવારે જ આવવા માટે કહેવામાં આવે છે.
હવે પછી વાંચો લઘુમતિ શાળાઓમાં બિનજરૂરી શિક્ષકોની ભરતીનું વેલ ઓર્ગેનાઇઝ્ડ કૌભાંડ
Latest on this News Web
- મહારાષ્ટ્રમાં જમીનોની ડિજિટલ 7/12ને કાનૂની માન્યતા: હવે ડિજિટલ કોપી જ ઓરિજિનલ ગણાશે, તલાટી ઓફિસના ધક્કા અને વહેવાર બંધ
- Indigo Missmanagement: દેશભરમાં એરપોર્ટ પર અરાજકતા
- AMERICA પોતે અમારાથી ફ્યુલ ખરીદે છે તો ભારત કેમ નહીં? Vladimir Putinનો આકરો સવાલ
- માલ્યા, મોદી, ચોકસી સહિત અન્ય 15 ભાગેડુઓ પાસેથી 58,000 કરોડની લોન વસૂલાત બાકી; લોકસભામાં સરકારની કબુલાત
- ભારતમાં વેચાતા દરેક સ્માર્ટ ફોનમાં સંચાર સાથી એપ ડિલીટ નહીં થઇ શકે એ રીતે ફરજિયાત પ્રી-લોડેડ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


