આજ રોજ શનિવાર, તા.15મી ડિસેમ્બર 2018ના રોજ સુરત સિંચાઇ વર્તુળ ખાતે ખેડૂત સમાજ ગુજરાત ના પ્રમુખ જયેશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઇ એન.પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય દર્શનભાઈ નાયક, ઓલપાડ તાલુકા ખેડૂત સમાજ ના પ્રમુખ રમેશભાઈ પટેલ, માંગરોળ તાલુકા પંચાયતના માજી પ્રમુખ જયચંદભાઈ વસાવા, માંગરોળ તાલુકાના ખેડૂત આગેવાન સુરેશભાઈ વસાવા, પીપોદરાગામના ડેપ્યુરિટી સરપંચ નશરૂમભાઈ શેખ, પીપોદરા સહકારી મંડળીના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવેલા ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે સિંચાઇના પાણી રોટેશનથી વિતરીત કરવાનું વ્યવસ્થાતંત્ર ગોઠવવા બાબતે લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી.
સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતનો સુરત સિંચાઇ વર્તુળમાં આવતા વિસ્તારમાં ખેતી કરી રહેલા ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં ત્યારે જ મળી રહેશે જ્યારે રોટેશન પ્રમાણે પાણી વિતરણ કરવામાં આવે અન્યથા ધરતીપુત્રોને મોટી નુકસાની થવાની દહેશત છે. આ વર્ષે આમેય વરસાદ ઓછો પડ્યો છે અને સમગ્ર રાજ્યમાં જળસંકટ સર્જાય તેવી ભીંતી પ્રવર્તી રહી છે ત્યારે સુરત જિલ્લાના સામાજિક-રાજકીય આગેવાન શ્રી દર્શન નાયકે રજૂઆત કરી છે કે સુરતના ખેડૂતોને આયોજનબદ્ધ રીતે જો ખેતી સિંચાઇનું પાણી વિતરણ કરવામાં આવશે તો સમસ્યાને નિવારી શકાશે. ખેડૂતોની ફરીયાદો ઉપસ્થિત થાય એ પહેલા જ સિંચાઇ વિભાગે રોટેશનથી પાણી કેવી રીતે વિતરીત કરી શકાય એ માટેનું હોમવર્ક કરવું રહ્યું એમ દર્શન નાયકએ ઉમેર્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
