દરિયામાં લો પ્રેશર : પોરબંદર-જાફરાબાદ અને વેરાવળમાં 1 નંબરનું સિગ્નલ
અરબી સમુદ્રમાં આગામી 12 કલાકમાં લો-પ્રેશર એરિયા સર્જાશે અને તેને કારણે દરિયો વધુ તોફાની બનવાનો હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટેની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે ત્યારે પોરબંદર અને જાફરાબાદના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને સમુદ્રથી દૂર રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને તેને સંલગ્ન લક્ષદ્વીપમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. અરબી સમુદ્રમાં સર્જાનારું લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને નોર્થ-વેસ્ટ દિશામાં આગળ વધશે અને વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ આગામી 12 કલાક પછી તે ઓમાન તરફ આગળ વધશે તેમ જણાઈ રહ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાનારું વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી પ્રબળ શક્યતા હોવાના કારણે ગુજરાતે રાહતનો શ્વાસ લીધો છે. જો કે હજુ એકાદ દિવસમાં આ અંગે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.
વેરાવળના પ્રતિનિધિના અહેવાલ મુજબ બપોરે હવામાન ખાતાની સુચના બાદ 1 નંબરનું ભયસૂચક સિગ્નલ ચડાવવામાં આવ્યુછે. અરબી સમુદ્રની મધ્યે હવાનું દબાણ સર્જાયું હોય આમ કરાયું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


