રત્નકલાકારો માટે મુંબઈથી સાવરકુંડલા સ્પેશ્યલ ટ્રેન ઊપડી

Share On :

બોરીવલીથી આશરે ૧૫૦૦ જેટલા હીરાના કારીગરો માટે શુક્રવારે મોડી રાતે રવાના થયેલી ટ્રેન Friday બપોરે ૧૨.૩૦ વાગ્યે સાવરકુંડલા પહોંચી હતી. સાવરકુંડલાના હીરાના કારીગર તેમ જ બોરીવલી અને દહિસરના હીરાના કારખાનેદારોએ આખા મુંબઈ સામે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. એક તરફ જ્યાં મુંબઈ શહેરની બહાર જવા માટે લોકોનાં ટોળેટોળાં ઊમટી રહ્યાં છે ત્યારે બીજી તરફ સારી રીતે રજૂઆત કરીને પ્રશાસન અને સરકારની મદદથી આ તમામ લોકો મફતમાં પોતાના ઘરે પહોંચ્યા હતા. અમદાવાદમાં ટ્રેનને બે કલાક હોલ્ટ આપી, તમામ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

બોરીવલી અને દહિસરમાં ૭૦૦થી ૮૦૦ જેટલી હીરાની ફૅક્ટરીઓ છે. અહીં મોટા ભાગે ફૅક્ટરીના માલિકો તેમ જ કર્મચારીઓ સૌરાષ્ટ્રના છે.

૧૬ મેના દિવસે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઑફ પોલીસને અરજી કરી હતી કે બોરીવલી અને દહિસરમાં રહેતા હીરાના કારખાનેદારોને ત્યાં કામ કરતા કર્મચારીઓને સાવરકુંડલા-સૌરાષ્ટ્ર તરફ જવું છે. અમારી અરજી ઑથોરિટીને ફૉર્વર્ડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો. જોકે પહેલાં અમને જે ટ્રેન આપવામાં આવી હતી એ રાત્રે ૧૨ વાગ્યે સાવરકુંડલા પહોંચી રહી હતી અને સાવરકુંડલાનું તંત્ર એ માટે તૈયાર નહોતું એથી ટ્રેનનો સમય બદલવામાં આવ્યો. એ ઉપરાંત સારી રીતે મુસાફરી કરવા માટે ૩૦ જણનું ગ્રુપ બનાવવામાં આવ્યું, જ્યાં ગ્રુપ-લીડર નિયુક્તિ કરવામાં આવ્યો. તમામનાં મેડિકલ-ટેસ્ટ કરવામાં આવ્યાં, દરેક વ્યક્તિ કોરોના-મુક્ત છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :