India : 22 May 6654 કેસ નોંધાયા, Cases : સવા લાખને પાર
દેશમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો સવા લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ 125101 કેસ નોંધાયા છે જેમાંથી 51784 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 137 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 3720 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 69597 એક્ટિવ કેસ છે.
જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી દર 41.39 ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 6654 નવા કેસ સાથે દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો 125101 સુધી પહોંચી ગયો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 3250 લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે.
જોકે, કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં વાયુવેગે ફેલાઈ રહ્યું છે તેવું કહેવું યોગ્ય નથી. ચાર રાજ્યો એવા છે કે જ્યાંથી સમગ્ર દેશના કુલ કોરોના વાયરસના કેસના લગભગ 68 ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર એકલામાંથી જ દેશભરના કુલ કોરોના કેસના લગભગ 35 ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 44582 કેસ નોંધાયા છે જ્યારે 1517 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશમાં કોરોનાથી 21 May ૧૩૨નાં મોત
દેશમાં કોરોનાને કારણે છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૧૩૨ જણનાં મોત થતાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક ૩૪૩૫ પર તો કોરોનાના વિક્રમજનક નવા ૫,૬૦૯ કેસ નોંધાતાં કોરોનાના કુલ કેસની સંખ્યાનો આંક વધીને ૧,૧૨,૩૫૯ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ કહ્યું હતું.
કોરોનાના સક્રિય કેસનો આંક ૬૩,૬૨૪ રહ્યો છે તો ૪૫,૨૯૯ દરદી સાજા થઈ ગયા છે અને એક દરદી સ્થળાંતર કરી ગયો છે, એમ તેમણે કહ્યું હતું.
મતલબ, અત્યાર સુધીમાં કોરોનાના ૪૦.૩૨ ટકા દરદીઓ સાજા થઈ ગયા છે, એમ આરોગ્ય ખાતાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.
દેશમાં કોરોનાના કુલ ક્ધફર્મ કેસમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતુું.
મંગળવાર સવારથી ૨૪ કલાક દરમિયાન કુલ ૧૩૨ મૃત્યુ નોંધાયા હતાં જેમાં ૬૫ મહારાષ્ટ્ર, ૩૦ ગુજરાત, ૦૯ મધ્ય પ્રદેશ, ૦૮ દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પ્રત્યેકમાં ચાર, પ. બંગાળ અને તમિળનાડુ પ્રત્યેકમાં ત્રણ, ૦૨ તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર , ઓડિશા અને જમ્મુ-કાશ્મીર પ્રત્યેકમાં ૦૧, મૃત્યુનો સમાવેશ થાય છે.
કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશમાં કુલ ૩૪૩૫ લોકોનાં મૃત્યુ નોંધાયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
