ભારત : એક્ટીવ કેસ 51,401 : કેસોની સંખ્યામાં ગુજરાત બીજા પરથી ત્રીજા ક્રમે પહોંચ્યું
અંદાજે પંદર દિવસના સમયગાળા બાદ ગુજરાત હવે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં બીજા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચ્યું છે. ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા તા.15મી મે 2020ના રોજ બપોરે 12 કલાકે 9591 હોવાનું સત્તાવાર રીતે જણાવાયું હતું જ્યારે આ જ સમયે તમિલનાડુમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 9674 થઇ છે. આમ, મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે હવે તમિલનાડુ આવ્યું છે. જોકે, ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં ટેસ્ટીંગ ઘટાડી દેવામાં આવ્યા છે.
- India update as on 15 May 2020 12 p.m..
- Cases : 81,970
- Deaths : 2,649
- Recovered : 27,920
- Active : 51,401
ભારતમાં રાજ્યવાર કોરોના કેસોની સંખ્યા તા.15મી મે બપોરે 12 કલાકે
| State | Case | Death | Recover |
| MH | 27524 | 1019 | 6059 |
| TN | 9674 | 66 | 2240 |
| GJ | 9591 | 586 | 3753 |
| DL | 8470 | 115 | 3045 |
| RJ | 4534 | 125 | 2580 |
| MP | 4426 | 237 | 2171 |
| UP | 3902 | 88 | 2072 |
| WB | 2377 | 215 | 768 |
| AP | 2205 | 48 | 1192 |
| PB | 1935 | 32 | 223 |
| TG | 1414 | 34 | 950 |
| BR | 994 | 7 | 411 |
| KA | 987 | 35 | 460 |
| JK | 983 | 11 | 485 |
| HR | 818 | 11 | 439 |
| OR | 611 | 3 | 158 |
| KL | 560 | 4 | 491 |
| JH | 197 | 3 | 87 |
| CH | 191 | 3 | 37 |
| TR | 156 | 0 | 29 |
| AS | 87 | 2 | 39 |
| UK | 78 | 1 | 50 |
| HP | 74 | 2 | 39 |
| CG | 60 | 0 | 56 |
| LEH | 43 | 0 | 22 |
| AN | 33 | 0 | 33 |
| GA | 14 | 0 | 7 |
| ML | 13 | 1 | 11 |
| PY | 13 | 1 | 9 |
| MN | 3 | 0 | 2 |
| MZ | 1 | 0 | 1 |
| DNH | 1 | 0 | 0 |
| AR | 1 | 0 | 1 |
દેશમાં કોરોનાથી 14 મી મે એ 134નાં મોત
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઇરસના રોગચાળાને લીધે ૨૪ કલાકમાં વધુ ૧૩૪ જણ મૃત્યુ થયા હતા અને નવા ૩,૭૨૨ દરદી નોંધાયા હતા. દેશમાં કોરોના વાઇરસના કુલ દરદીઓની સંખ્યા વધીને ગુરુવારે ૭૮,૦૦૩ થઇ હતી અને કુલ મરણાંક વધીને ૨,૫૪૯ થયો હતો.
આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઇરસના સાજા થયેલા દરદીઓની ટકાવારી વધીને અંદાજે ૩૩.૬૩ ટકા થઇ છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં ૨૪ કલાકમાં જે ૧૩૪ જણ મૃત્યુ પામ્યા હતા, તેમાંના મહારાષ્ટ્રના ૫૪, ગુજરાતના ૨૯, દિલ્હીના ૨૦, પશ્ર્ચિમ બંગાળના ૯, રાજસ્થાનના ૪, મધ્ય પ્રદેશના ૭, તમિળનાડુના ૩, તેલંગણાના બે, કર્ણાટકના બે, આંધ્ર પ્રદેશના એક, બિહારના એક, ઉત્તર પ્રદેશ તેમ જ જમ્મુ અને કાશ્મીરના એક જણનો સમાવેશ થાય છે.
દેશમાં 13 May કોરોનાથી ૧૨૨ મોત
કોરોનાને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૨ મોત થતા કોરોનાને કારણે અત્યાર સુધીમાં થયેલા મૃત્યુનો કુલ આંક ૨૪૧૫ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના નવા ૩૫૨૫ કેસ નોંધાતા કોરોનાના કેસની કુલ સંખ્યાનો આંક ૭૪,૨૮૧ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું.
અત્યાર સુધીમાં કોરોનાના ૨૪,૩૮૫ દરદી સાજા થઈ ગયા છે તો એક દરદી સ્થળાંતર કરી ગયો છે અને કોરાનાના ૪૭,૪૮૦ સક્રિય કેસ છે, એમ તેમણે કહ્યું હતું. મતલબ અત્યાર સુધીમાં કોરોનાના કુલ દરદીઓમાંથી ૩૨.૮૩ ટકા દરદી સાજા થઈ ગયા હોવાનું તેમણે કહ્યું હતું.
કોરોનાના કુલ ક્ધફર્મ કેસમાં બે વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું.
મંગળવાર સવારથી બુધવાર સુધીમાં કોરોનાને કારણે વધુ ૧૨૨ મોત થયાં હતાં જેમાં મહારાષ્ટ્રમાં ૫૩, ગુજરાતમાં ૨૪, દિલ્હીમાં ૧૩, તમિળનાડુ અને પ. બંગાળ પ્રત્યેકમાં આઠ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ પ્રત્યેકમાં ચાર, તેલંગણા અને ઉત્તર પ્રદેશ પ્રત્યેકમાં બે તેમ જ આંધ્ર પ્રદેશ, પંજાબ, ચંડીગઢ અને પુડુચેરી પ્રત્યેકમાં એક મોતનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
Reported on 13 May
70,000ને પાર, છેલ્લા 24 કલાકમાં 3604 નવા કેસ
ભારતમાં કોરોના ના કેસોની સંખ્યાનો આંકડા 70 હજારથી વધી ગયો છે. 11મી મે ના છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 3604થી વધારે નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જેને પગલે ભારતમાં કુલ કોરોના વાયરસના કેસ વધીને 70,756 થયા છે. સોમવારે સવારે 9 વાગ્યાથી મંગળવાર સવારે 9 વાગ્યા સુધી દેશમાં કોરોના વાયરસના 3604 નવા કેસ નોંધાયા છે જોકે, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસથી સ્વસ્થય થનારા લોકોની સંખ્યા 1500થી વધારે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધીમાં દેશમાં કુલ 70756 કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાંથઈ 22454 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. પરંતુ 2293 લોકોએ કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવારે સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 46008 એક્ટિવ કેસ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


