CIA ALERT

કોંગ્રેસના MLAએ રાતભર કૃષિ નિયામક કચેરીએ ધરણાં ર્ક્યા!

Share On :
પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખરીફ પાક મગફળી માટે વીમા કંપનીઓએ 22 થી 49.40 ટકા સુધીનું પ્રીમીયમ ખેડૂતો પાસેથી ઉઘરાવીને નફો કર્યો છે પરંતુ ખેડૂતોને તેના રૂપિયા હજુ મળ્યા નથી, તેથી કોંગ્રેસના 3 ધારાસભ્યેએ આ મામલે સરકાર સામે મોરચો માંડયો છે.’ પાક વીમાની વિસંગતતાઓના હિસાબની માગણી સાથે કોંગ્રેસના 3 ધારાસભ્યો બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરીયા અને ઋત્વિક મકવાણા કૃષિભવનમાં કૃષિ નિયામકની કચેરીમાં જ ધરણા પર બેઠા છે.
કોંગ્રેસના આ ત્રણેય ધારાસભ્યો આખી રાત ધરણા પર બેઠા’ હતા અને હજી પણ આ ઘરણા ચાલુ જ હોવાનું જાણવા મળે છે. કૃષિ નિયામક પાક વીમાની રકમની ચૂકવણીનો હિસાબ આપે પછી જ ધરણા પરથી ઉઠશે તેવું કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યુ હતું.
ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાક વીમાની ચૂકવણી બેન્કો દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં સરકારે તાલુકાઓ ગત ચોમાસાની સીઝનમાં અસરગ્રસ્ત જાહેર કર્યા હતા. તેવા તાલુકાઓમાં ઝીરો ટકા પાક વીમો આપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોને અલગ અલગ ટકા પાક વીમો ચૂકવવાતા ખેડૂત સંગઠનો રોષે ભરાયા છે ત્યારે ખેડૂતોને ન્યાય અપાવવાની માગણી સાથે આ ત્રણેય ધારાસભ્યોએ રાતભર મોરચો માંડયો હતો.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કૃષિભવનમાં કોંગ્રેસના ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા. આ મામલે અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર કોંગ્રેસના ધારાસભ્યો અને ખેડૂતોની વાત નહીં સાંભળે તો કૃષિ અગ્ર સચિવથી લઇને રાજ્યપાલ અને લોકઅદાલત સુધી આ મુદ્દો લઇ જવામાં આવશે. ખેડૂતોની વાત નહીં સાંભળવામાં આવે તો ગામડાઓમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરાવવાની ચીમકી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપી છે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :