CIA ALERT

છત્તીસગઢમાં નક્સલવાદી હુમલો, ભાજપના વિધાનસભ્ય, ચાર અંગરક્ષકોના મોત

Share On :

છત્તીસગઢ રાજ્યના દાંતેવાડા જિલ્લામાં મંગળવારે નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભાજપના વિધાનસભ્ય ભીમા માંડવી અને તેમના ચાર સુરક્ષા કર્મચારીઓના મૃત્યુ થયા હતા.

પોલીસે આપેલી માહિતી મુજબ આ બનાવ શ્યામાગિરિ હિલ્સ નામના વિસ્તારમાં બન્યો હતો. ભીમા તેમના કાફલા સાથે બાચેલી વિસ્તારના કુવાકૉન્ડા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમના પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. આ ઘટના રાજ્યના પાટનગર રાયપુરથી 450 કિલોમીટર દૂર બની હતી.

નક્સલવાદીઓએ આઇઇડી (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝીવ ડિવાઇસ)ના વિસ્ફોટના વિધાનસભ્યના કાફલાના મુખ્ય વાહનને ઉડાવી દીધું હતું તેમ જ એ વાહનમાં બેઠેલાઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં વિધાનસભ્ય તથા તેમના ચાર સિક્યૉરિટી કર્મચારીઓ માર્યા ગયા હતા.

સલામતી દળો તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિક ટીવી ચૅનલોએ આ ગોઝારી ઘટનાની તસવીરો પ્રસારિત કરી હતી. તસવીરો મુજબ ગાઢ જંગલની નજીકના રસ્તા પર વાહનના ચૂરેચૂરા થઈ ગયા હતા અને પ્રચંડ આઇઇડી બ્લાસ્ટને કારણે રસ્તા પર ખાડો પડી ગયો હતો.

આવો જ એક હુમલો મે, 2013માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે બસ્તર જિલ્લામાં થયો હતો જેમાં કૉંગ્રેસના નેતા મહેન્દ્ર કર્મા તેમ જ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વી. સી. શુક્લા સહિત 27 જણાના મૃત્યુ થયા હતા.

ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં દાંતેવાડામાં કરવામાં આવેલા હુમલામાં સીઆઇએસએફના કર્મચારીઓ તથા ત્રણ નાગરિકો મૃત્યુ પામ્યા હતા. એ બનાવમાં આઇઇડીના વિસ્ફોટની મદદથી નક્સલવાદીઓએ એક બસને ઉડાવી દીધી હતી.

દાંતેવાડા વિસ્તાર લોકસભાના બસ્તર મતદારક્ષેત્રમાં છે અને ત્યાં આવતી કાલે પ્રથમ તબક્કામાં જ મતદાન થવાનું છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાઓને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. તેમણે અટૅકમાં ભોગ બનેલાઓના પરિવારજનોને આ આપત્તિના સમયનો સામનો કરવાની ઇશ્ર્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.

કૉંગ્રેસે પણ મંગળવારે દાંતેવાડાના હુમલાને વખોડી કાઢ્યો હતો. પક્ષ-પ્રમુખ રાહુલ ગાંધીએ આ ઘટનાને ‘અત્યંત કરુણ’ ગણાવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘આ હુમલામાં ભોગ બનેલા સદગતના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ આપત્તિના સમયનો સામનો કરવાની શક્તિ મળે એવી હું ઇશ્ર્વરને પ્રાર્થના કરું છું.’

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :