CBSE : ૧૦ અને ૧૨ની પરીક્ષા ચોક્કસ સમયે યોજાશે જ
સીબીએસઇના બૉર્ડના સચિવ અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ૧૦મા અને ૧૨મા ધોરણની બૉર્ડની પરીક્ષા ચોક્કસ યોજાશે અને એની તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કોવિડ-૧૯ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને અનેક લોકો ૧૦મા અને ૧૨મા ધોરણની બૉર્ડની પરીક્ષા રદ કરવાની અથવા એની તારીખ લંબાવવાની માગણી કરી રહ્યા છે અને એના જવાબમાં ત્રિપાઠીએ આ વાત કહી હતી.

એમણે વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષાઓ ક્યારે અને કઇ રીતે યોજાશે એ વિશે અમે ચર્ચા કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં પરીક્ષાપત્રક જાહેર કરવામાં આવશે તથા પરીક્ષા કઇ રીતે લેવાશે એ વિશેની માહિતી પણ જાહેર કરવામાં આવશે.
જોકે, દર વર્ષની જેમ આ વખતે પણ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાશે કે નહીં એ વિશે એમણે મગનું નામ મરી નહોતું પાડયું, પણ એમ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં કોરોનાને કારણે પ્રતિબંધ લદાયા બાદ આગળ કઇ રીતે વધવું એ વિશે અવઢવ હતી ત્યારે અમારા શિક્ષકોએ પોતાની જાતને નવી ટૅકનોલોજીમાં ઢાળીને ભણાવવાનું ચાલું રાખ્યું હતું તથા થોડા જ મહિનામાં વિવિધ ઍપ્સનો ઉપયોગ કરીને ઑનલાઇન ભણાવવાની વાત સામાન્ય બની ગઇ હતી.
કેટલાંક રાજ્યોમાં ૧૫મી ઑક્ટોબરથી આંશિક રીતે શાળાઓ શરૂ કરવામાં આવી છે, પણ કોરોનાને લીધે અમુક રાજ્યોમાં શાળાઓ સદંતર બંધ જ રહી છે.
જે બૉર્ડની પરીક્ષાઓની તારીખ લંબાવાઇ હતી, એ છેવટે રદ કરાઇ અને પર્યાયી અસેસમેન્ટને આધારે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
