વાયરલ Archives - Page 57 of 80 - CIA Live

July 2, 2020
corona-gujarat.jpg
2min4400

છેલ્લા ચોવીસ કલાકમાં ૮૪૮૧ ટેસ્ટ થકી નવા વિક્રમી ૭૧૨ પોઝિટિવ દર્દીઓને શોધવામાં સફળતા મળી હોવાનો રાજ્યના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે અલબત્ત, સારવાર હેઠળ રહેલા ૨૧ દર્દીઓએ જાન ગુમાવ્યો છે.

આમ છતાં સરકારનો દાવો છે કે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણાં ઓછા પોઝિટિવ કેસ નોંધાય છે. પરંતુ હકીકત એ છે Fકે જિલ્લાઓ, તાલુકાઓમાં નોંધાતા કેસને ગાંધીનગરના સરકારી ચોપડે ઉમેરવામાં ‘કન્ટ્રોલ્ડ’ પ્રોસીઝર અપનાવાય છે. આને કારણે સુરતમાં રોજેરોજ નોંધાતા કેસ અને મૃત્યુના સ્થાનિક આંકડા તેમજ આરોગ્ય વિભાગના બુલેટીનમાં ઘણો ફેર રહે છે એમ છતાં શનિવારે સુરતે અત્યાર સુધીનો સૌથી વધારે કેસનો વિક્રમ સર્જ્યો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાં ૨૦૧ કેસ અને ચાર દર્દીના મૃત્યુ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બાવન કેસ જાહેર કરાયા છે. આમ, સુરતનો કુલ કેસનો આંક ૨૫૩ રહ્યો છે. આજ રીતે અમદાવાદ શહેરમાં બે મહિના પછી પોઝિટિવ દર્દીનો આંક ૧૬૫ સુધી સીમિત રહ્યો છે. જ્યારે ગ્રામ્યનો આંક ૭ કેસનો રહ્યો છે. આમ, કુલ કેસ ૧૭૨ થાય છે અને મહાનગરમાંથી સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી ૯ દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે.

સુરતની જેમ સૌથી મોટો આંક મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧૧ કેસ મહાનગરના અને ૩૬ કેસ જિલ્લાના નોંધાયા છે. છેલ્લા બે દિવસથી સતત વધી રહેલા કેસને અન્યથા લઇ ધીમે ધીમે સરકારી ચોપડે દર્શાવાતા હોવાની ચર્ચા લોકમુખે શરૂ થઇ છે એની પાછળનું કારણ પાંચ દર્દીઓના એક જ દિવસે થયેલા મૃત્યુ છે. આ મૃત્યુને ત્રીજા દિવસે જાહેર કરાયા છે આજે રાજકોટ મહાનગરમાં ચાર દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે. આ વાસ્તવમાં ત્રણ દિવસ પૂર્વે જાહેર થયા હતા.

આ જ પ્રમાણે, અન્ય મહાનગરો, જિલ્લાઓમાં પ્રવર્તી રહ્યું છે. ગઇકાલે જૂનાગઢમાં આઠ કેસ બપોર સુધીમાં જાહેર થયેલા હતા. આ પછી સાંજે વધુ ૨૫ કેસ જાહેર થયા હતા. પરંતુ આજેય સરકારી ચોપડે ૧૦ કેસ જ જાહેર થયા છે. એમાં નવ કેસ મહાનગરના અને એક કેસ ગ્રામ્યનો છે. આવું જ અન્ય જિલ્લાઓમાં જાહેર થતાં પોઝિટિવ કેસ અને રાજ્ય સરકારના ચોપડે દર્શાવાઇ રહ્યું છે.

Gujarat on 4/7 : 689 કેસ : CM-DyCM સુરતમાં

રાજ્યમાં કોરોનાના કેસો રોજેરોજ નવી સપાટી કૂદાવી રહ્યા છે. શુક્રવારે રાજ્યમાં કોરોનાના નવા 689 દર્દી નોંધાયા છે. જ્યારે 340 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના લીધે વધુ 18 દર્દીનાં મોત થયા છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના 204-204 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના લીધે 10 અને સુરતમાં 5 દર્દી કોરોનાનો ભોગ બન્યા છે. રાજ્યમાં હાલમાં અઢી લાખ કરતા વધુ લોકો કોરેન્ટાઇન કરવામાં આવેલા છે.

રાજ્યમાં 3 July 2020 કોરોનાના નવા 687 દર્દી નોંધાયા છે અને 340 સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના 395873 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નોંધાયેલા નવા 687 કેસોનો નવો વિક્રમ છે. રોજેરોજ કેસોનો આંકડો નવા વિક્રમો સ્થાપી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ સમગ્ર રાજ્યના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

3 July 2020 નોંધાયેલા નવા 687 કેસો પર નજર નાખીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 195 કેસ અને જિલ્લામાં 9 કેસ મળી કુલ 204 કેસ નોંધાયા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં 190 કેસ અને જિલ્લામાં 14 કેસ મળી કુલ 204 કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરત પછી વડોદરા કોર્પોરેશનમાં 50 કેસ અને જિલ્લામાં 12 કેસ મળી કુલ 62 કેસ થયા છે. આ ઉપરાંત જૂનાગઢમાં 26 કેસ, ખેડામાં 14, સુરેન્દ્રનગરમાં 14, ભરૂચમાં 13, પંચમહાલમાં 13, જામનગરમાં 13, ભાવનગરમાં 21, ગાંધીનગરમાં 16 કેસ નોંધાયા છે.

Gujarat on 3/7 : 681 કેસ : સુરતમાં વકરી રહેલી સ્થિતિ

રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ ધીરે ધીરે કોરોના વાયરસ માથું ઉચકી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 681 નવા કેસ નોંધાયા છે તો વધુ 563 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 7510 થયો છે.

રાજ્યમાં 2 July તારીખે કુલ એક્ટિવ કેસનો આંકડો 7510 જેમાથી 68 દર્દીઓ વેન્ટીલેટર પર અને 7442 સ્ટેબલ દર્દીઓ છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 24601 લોકોને ડીસ્ચાર્જ અને 1888 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

2 July : સતત પાંચમા દિવસે કોરોનાના 600+ Cases, કુલ 33318

અનલોક-2 પછી પણ કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતા છે. મહામારીના સમયમાં ભારતમાં સતત 8 દિવસથી રોજ 15000 ઉપર કેસ આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ 24 કલાકમાં સતત પાંચમા દિવસે 600થી વધુ એટલે કે 675 કેસ સામે આવ્યા છે. જેથી હવે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 33318 પણ થઈ છે.

રાજ્યમાં 24 કલાકમાં 675 નવા કેસ નોંધાયા છે તો વધુ 368 દર્દીઓ પણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 3,80,640 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 7411 થયો છે અને 73 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 7348 દર્દીઓની હાલત સ્થિર છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,50,357 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 2,47,067 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીન છે અને 3290 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ખેડા અને અમરેલીમાં 1-1, અમદાવાદ કોર્પોરેશનમાં 8, અરવલ્લી અને બનાસકાંઠામાં 1-1, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન અને ભરુચમાં 1-1 તેમજ દાહોદ અને દેવભૂમિ દ્વારકામાં પણ 1-1 એમ કુલ 21 લોકો સંક્રમણના કારણે મોતને ભેટ્યા હતાં. જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 1869 થયો છે.

July 1, 2020
corona-gujarat.jpg
1min4860

ગુજરાતમાં કોરોનાની તવારિખમાં પહેલી વખત સૌથી સંક્રમિત અમદાવાદને પાછળ રાખી સુરત ટોપ ઉપર પહોંચ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં વધુ ૬૨૦ પોઝિટિવ કેસ મળ્યા છે અને ૨૦ કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ થયા છે એમાં સુરત ૧૯૯ કેસ સાથે ટોપ ઉપર પહોંચ્યું છે અને વધુ ચાર દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના ૧૫ સહિત કુલ કેસ ૧૯૭ થયા છે. અલબત્ત, ચોવીસ કલાકમાં વધુ ૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે. સુરત પછી ધીમે ધીમે વડોદરામાં પણ સંક્રમણ બેકાબુ સ્તરે પહોંચી ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ બાવન દર્દી પોઝિટિવ મળ્યા છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે.

અમદાવાદ મહાનગરમાં સૌથી વધારે ૧૮૨ કેસ મળ્યા છે એમાં પશ્ચિમ, ઉત્તરપશ્ચિમ વિસ્તારના કેસ વધારે છે જ્યારે મધ્ય ઝોનમાંથી સીંગલ ડિજીટમાં કેસ આવ્યા છે. આને પગલે હવે માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયામાં દર સપ્તાહે ફેરફાર થઇ રહ્યા છે. આ જ રીતે ગ્રામ્યમાં ૧૫ કેસમાં સૌથી વધારે માંડલમાંથી ૬, સાણંદ ૪, બાવળા ૨, દસક્રોઇ, દેત્રોજ અને વિરમગામમાંથી એક એક કેસ મળ્યા છે. ગાંધીનગરમાં પણ મહાનગરમાંથી કેસ નહીવત થયા છે, પરંતુ તાલુકાઓમાં વાવોલ, સરઢવ, કોબા સહિત ગાંધીનગર તાલુકામાંથી ચાર, દહેગામમાં ૧, માણસામાં ૫ અને કલોલમાંથી ૫ કેસ મળ્યા છે જ્યારે ગાંધીનગરના બે દર્દીના મૃત્યુ થયા છે.

ઉત્તર ગુજરાતમાં જોઇએ તો પાટણમાં એક સાથે વધુ ૧૧ કેસ મળ્યા છે એમાં પાટણ નગર, સિદ્ધપુર, રાધનપુરના પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોનું સંક્રમણ મળ્યું છે. મહેસાણામાં નવા ૭ કેસમાં કડી, બેચરાજી અને મહેસાણાના કેસ છે. બનાસકાંઠામાં પાલનપુરનો એક કેસ છે. સાબરકાંઠામાં પ્રાંતિજ, ઇડર અને હિમતનગરમાંથી ચાર કેસ આવ્યા છે. અરવલ્લીના મોડાસામાંથી પાંચ કેસ ઉમેરાયા છે.

વલસાડમાં ફરીથી સંક્રમણ વધ્યું હોય એમ વાપી, પારડી, વલસાડમાંથી એક સાથે વીસ કેસ ઉમેરાયા છે. ભરૂચમાં જંબુસર, ઝગડિયા, વાગરામાંથી આઠ કેસ મળ્યા છે. ખેડા-આણંદમાં બાલાસિનોર, ખંભાત, નડીયાદ, ઉમરેઠ, ડાકોર જેવા વિસ્તારોમાં હવે સંક્રમણ પહોંચી ગયું છે.

અન્ય મહાનગરો, જિલ્લાની સ્થિતિ જોઇએ તો જામનગર કુલ ૧૮ કેસ, ગાંધીનગરમાં ૧૬ નવા કેસ અને ૨ દર્દીના મૃત્યુ, જૂનાગઢમાં કુલ ૭ કેસ અને એક દર્દીનું મૃત્યુ, ભાવનગર અને રાજકોટમાં અનુક્રમે કુલ કેસ આઠ અને છ નોંધાયા છે. જિલ્લાઓમાં ફરીથી વલસાડમાં ૨૦ નવા કેસ સાથે સ્થિતિ વધારે બગડી રહી છે. આ સિવાય આણંદમાં ૧૪, પાટણ ૧૧ અને એક મૃત્યુ, કચ્છ ૯, ભરૂચ ૮, મહેસાણા ૭, ખેડા ૬, અરવલ્લી અને પંચમહાલ ૫-૫, બનાસકાંઠા, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ૪-૪,  ગીરસોમનાથ, પોરબંદર, અમરેલીમાં ૩-૩, મહીસાગર, નવસારી, મોરબીમાં ૨-૨ કેસ મળ્યા છે જ્યારે નવસારીમાં એક દર્દીનું મૃત્યુ પણ નોંધાયું છે. બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા અને અન્ય રાજ્યના એક એક કેસ નવા ઉમેરાયા છે.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર શહેર ઉપરાંત પાટડી અને ધ્રાંગધ્રામાંથી નવા ચાર કેસ, બોટાદમાંથી ચાર, અમરેલીમાં સાવરકુંડલામાંથી મળી ત્રણ કેસ, રાજકોટમાં ધોરાજીમાંથી એક કેસ, મહાનગરમાંથી પાંચ કેસ મળ્યા છે. જામનગર મહાનગરામાંથી પંદર કેસ મળતાં ચકચાર મચી ગઇ છે એની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારના ત્રણ કેસ આવ્યા છે. જૂનાગઢમાં એકાએક સંક્રમણે માથુ ઉચક્યું છે મહાનગરમાંથી વધુ પાંચ કેસ મળ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી એક નવો કેસ આવ્યો છે. ભાવનગરમાંથી પાંચ અને ગ્રામ્યના ત્રણ કેસ નવા ઉમેરાયા છે.

આમ, રાજ્યમાં કુલ કેસ આ સાથે રાજ્યના કુલ કેસનો આંક વધીને ૩૨૬૪૩ થયો છે જ્યારે ચોવીસ કલાકમાં વધુ ૬૧૯ ડિસ્ચાર્જ થતાં કુલ સંખ્યા ૨૩૬૭૦ થઇ છે. ૧૮૪૮ દર્દીના મૃત્યુ અત્યાર સુધીમાં નોંધાયા છે. હાલ એક્ટિવ કેસનો આંક ૬૯૨૮ થયો છે એમાં ૭૧ વેન્ટીલેટર ઉપર છે અને ૬૮૫૭ સ્ટેબલ છે.

July 1, 2020
coronaupdate.jpg
1min4660

કોરોના વાયરસ (COVID-19)નો કહેર દેશમાં દરરોજ વધતો જ જાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 18,653 નવા કેસ નોંધાયા છે અને 507 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. કોરોનાને લીધે મૃત્યુ પામનારા આંકડાઓએ ચિંતામાં વધારો કર્યો છે. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં 12,656 લોકો સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5,85,493 થઈ ગઈ છે. જેમાંથી 2,20,114 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં દેશમાં 17,400 લોકોએ કોરાનાને લીધે જીવ ગુમાવ્યો છે. તો બીજી બાજુ, 3,47,979 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 4,878 નવા કેસ નોંધાયા છે અને 245 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1,74,761 થઈ ગઈ છે. જેમાંથી 75,995 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધી 7,855 લોકોના મોત થયા છે. જ્યારે 90,911 લોકો સારવાર બાદ સાજા થયા છે. જેમાંથી 1,951 લોકોએ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના સામે વિજય મેળવ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓનો આંકડો 17,000ને પાર કરી ગયો છે. તેમાંથી સૌથી વધુ લોકો મહારાષ્ટ્રમાં મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં વધી રહેલા આંકડા ચિંતાનુ કારણ છે.

ગુજરાત રાજ્યમાં સતત છેલ્લા ચાર દિવસથી કોરોના સંક્રમિતોનો આંકડો 600ને પાર કરી રહ્યો છે. મંગળવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ રાજ્યમાં કોરોનાના 620 નવા કેસ નોંધાયા હતા અને 20 દર્દીઓના મોત થયા હતા. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 424 દર્દીઓ સારવાર બાદ સાજા થયા હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 32,446 કેસ નોંધાયા છે અને 1,848 લોકોનું મૃત્યુ થયું છે. તેમજ કુલ 6,928 કેસ એક્ટિવ છે. જ્યારે 23,670 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

July 1, 2020
dangerous-websites.jpg
1min7100

લૉકડાઉનને કારણે ઑનલાઈનનું મહત્ત્વ વધી ગયું હોવાથી સાઈબર ઠગો પણ લોકોને છેતરવા નવા નવા માર્ગો શોધી રહ્યા છે. સામે મહારાષ્ટ્ર સાઈબર વિભાગ પણ સક્રિય બન્યો હોઈ આવા ઠગોની પ્રવૃત્તિઓ પર નજર રાખી નાગરિકોને સાવધાન કરી રહ્યો છે. હાલમાં નાગરિકો મફતમાં ઑનલાઈન ફિલ્મો, વેબ સિરીઝ જુએ છે અને તેને ડાઉનલૉડ પણ કરી રહ્યા છે. આ બાબતનો સાઈબર ઠગો ગેરફાયદો લેવાની શક્યતા સાઈબર પોલીસે વ્યક્ત કરી છે.

જો કોઈ વપરાશકાર ફ્રી વેબસાઈટ પર ક્લિક કરે ત્યારે તેની જાણ બહાર કમ્પ્યુટર અથવા મોબાઈલમાં માલવેર ડાઉનલૉડ થઈ જાય છે અને તે સંબંધિત કમ્પ્યુટર અથવા મોબાઈલમાંની બધી માહિતી ઠગને મોકલે છે. આ માહિતીનો ઉપયોગ ઠગો નાગરિકોને ત્રાસ આપી ખંડણી માગવા માટે અથવા આર્થિક ગુના કરવા માટે કરી શકે છે. આથી નાગરિકોએ ફ્રી વેબસાઈટ પર ફિલ્મ અથવા વેબ સિરીઝ જોવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ અને ડાઉનલૉડ કરવાથી પણ સાવચેત રહેવું જોઈએ.

સાઈબર પોલીસ દ્વારા ટોપ-૧૦ વેબ રિસ્ક ધરાવતી ટેલિવિઝન સિરીઝ અને ટોપ-૧૦ ફિલ્મોની યાદી જાહેર કરવામાં આવી છે. આ સિરીઝ અને ફિલ્મ ફ્રી વેબસાઈટ પરથી જોવાનું ટાળી પૈસા ચૂકવીને અધિકૃત પ્લૅફોર્મ પરથી જ જોવાનો અનુરોધ પોલીસે કર્યો હતો.

June 30, 2020
CIA_unlock-1280x937.jpg
1min5900

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવાર તા.31 જુલાઈ સુધી અનલોક-2.0 ની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે જે તા.1લી જુલાઇ 2020થી અમલી બનશે. અનલૉક- 2.0 કેટલીક શરતો સાથે અનેક ગતિવિધિઓમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. જોકે, કન્ટેઈનમેન્ટ ઝોનમાં પહેલાની જેમ નિયમોનો કડક અમલ રહેશે. નવી ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોનમાં તા.31 જુલાઈ સુધી લોકડાઉન જારી રહેશે. આ ઉપરાંત મેટ્રો સર્વિસ, સિનેમા હોલ, સ્વીમિંગ પૂલ, થિયેટર, બાર, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ જમા કરવા પર પ્રતિબંધ યથાવત રહેશે.

કેન્દ્રની નવી ગાઈડલાઈન મુજબ અનલોક-2માં શાળા-કોલેજ અને કોચિંગ ઈન્સ્ટિટ્યુટ 31 જુલાઈ સુધી બંધ રહેશે. પરંતુ ડિસ્ટન્સિંગ લર્નિંગ અને ઓનલાઈન અભ્યાસ જારી રહેશે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ 15 જુલાઈથી શરૂ થશે. આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગે યાત્રા કરવા પર પ્રતિબંધ રહેશે. જોકે, ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હોય એવા લોકો જ યાત્રા કરી શકશે.

– કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તાલીમ સંસ્થા 15 જુલાઈથી ખોલી શકાશે. જોકે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર સાથે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ તરફથી આગામી દિવસમાં SOP જારી કરાશે.
– વિવિધ વિસ્તારો પ્રમાણે દુકાનો પર એક સમયે 5થી વધારે લોકોની એટ્રી આપી શકાશે. જોકે, તેમા જગ્યા પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
– અગાઉ 9થી સવારના 5 વાગ્યા સુધી બહાર નિકળવા પર પ્રતિબંધ હતો. આ વખતે એક કલાકનો સમય વધારવામાં આવ્યો. અનલોક-2માં રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ઘરમાંથી બહાર નિકળી શકાશે નહીં. એટલે કે રાતે એક કલાક વધારે બહાર રહી શકાશે.

સોમવારે રાત્રે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-2 માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી. અનલોક-2 માં કરફ્યુ સમય રાત્રિ 10થી સવારના 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. અનલોક-2 આવતીકાલથી સમગ્ર દેશમાં લાગૂ થશે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, રાષ્ટ્રીય અને રાજ્ય હસ્તક હાઈવે પર લોકોની અવર-જવર, માલ-સામાનના પરિવહન, લોડિંગ અને અનલોડિંગ, બસ, ટ્રેન, પ્લેનથી ઉતર્યા બાદ લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા અને જવા માટે રાત્રિ કરફ્યુમાં છૂટ આપવામાં આવી છે.

June 30, 2020
diamond.png
1min7150

અમદાવાદ બાદ હવે સુરતમાં પણ દરરોજ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં અનલોક-1 જાહેર કર્યા બાદ ફરી ધંધા ઉદ્યોગો શરૂ થયા છે. તેવામાં પણ ખાસ કરીને હિરા ઉદ્યોગમાં કામ કરતા લોકોમાં કેસ વધારે સામે આવી રહ્યા છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા સુરત મહાનગર પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ચાલતા હિરાના કારખાનાઓ ક્લસ્ટર તરીકે જાહેર કરી સાત દિવસ બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

file photo diamond factory

આ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશન બંછાનિધિ પાનીએ કહ્યું છું કે, સુરત શહેરના કેટલાક ડાયમંડ યુનિટ્સમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવતું નથી તેમજ માસ્ક ન પહેરવાના કારણે આવા કારખાનાઓમાં કામ કરતા કારીગરો તથા તેમના પરિવારજનોમાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે.

આ અંગે તેમણે વધુમાં કહ્યું કે આ સ્થિતિમાં SMCના નોર્થ ઝોન એટલે કે લાલદરવાજા, કતારગામ સહિતના વિસ્તારમાં આવેલા તમામ કારખાનાઓને ‘ક્લસ્ટર’ જાહેર કરવામાં આવે છે. તેમજ આ તમામ કારખાનાઓ સાત દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

June 29, 2020
corona-gujarat.jpg
1min7780

સમગ્ર વિશ્વમાં કોરોનાના દર્દીઓનું સંક્રમણ વધતું જ જઈ રહ્યું છે. વિશ્વમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંકડો એક કરોડને પાર થયો છે તો ભારતમાં પણ પાંચ લાખ પચાસ હજાર કોરોનાના દર્દીઓ થયાં છે. ગુજરાતમાં પણ કોરોનાનો કહેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો. સતત 3 દિવસમાં રાજ્યમાં 600થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 626 નવા કેસ નોંધાયા છે અને વધુ 19 દર્દીઓ મોતને ભેટ્યા છે. જેથી હવે રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 32023 થઈ છે.

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે એક ખુશખબર એ પણ છે કે વધુ 626 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી હવે રાજ્યમાં કોરોના સંક્રમણ સામે કુલ 23248 વ્યક્તિઓ સ્વસ્થ થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,67,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,39,759 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,36,384 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીન હેઠળ છે. જ્યારે 3,375 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે.

(28 June) એક દિવસમાં 624 કેસ

રાજ્યમાં રવિવારે 624 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધુ કેસનો વિક્રમ છે. રાજ્યમાં સતત બીજા દિવસે 600થી વધુ પોઝિટિવ દર્દી નોંધાયા છે. જોકે છેલ્લા 4 દિવસથી રાજ્યમાં દરરોજ નોંધાતાં મૃત્યુનો આંકડો 20થી ઓછો આવ્યો છે.

અમદાવાદમાં વધુ 211 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જે એપ્રિલના અંત પછી સૌથી ઓછા છે. રાજ્યમાં અત્યાર સુધી 31,397 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1,809 દર્દીઓનાં મૃત્યુ થયાં છે અને 22,808 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં હાલમાં 6,૭80 એક્ટિવ કેસ છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 624 નવા કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દીનાં મૃત્યુ થયાં છે અને 391 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
અમદાવાદમાં 13 દર્દીનાં મૃત્યુ, સુરતમાં 182 કેસ અને 3 દર્દીનાં મૃત્યુ થયાં છે.

આ ઉપરાંત વડોદરામાં 44 કેસ, વલસાડમાં 36, પાટણ, ગાંધીનગરમાં 11-11, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલીમાં 10-10, મહેસાણામાં 8, બનાસકાંઠા, ભરૂચમાં ૭-૭, ખેડા 6, અરવલ્લી, નવસારી, મોરબીમાં 4-4, ભાવનગર, સાબરકાંઠા, આણંદ, બોટાદમાં 3-3, જામનગર,પંચમહાલ, પોરબંદરમાં 2-2, ગીર-સોમનાથ, નર્મદા, તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.

June 29, 2020
coronaupdate.jpg
1min3810

સોમવારે 29 june પણ કોરોના કેસના એક દિવસમાં નોંધાતા કેસમાં ઘટાડો નોંધાયો જોકે, કેસનો આંકડો 18,800ને પાર કરીને 18,870 પર પહોચ્યો હતો. આ દેશમાં એક દિવસમાં નોંધાતા પોઝિટિવ કેસમાં ત્રીજા નંબરના સૌથી વધુ કેસ હતા આ પહેલા બે દિવસ દેશના સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા.

દક્ષિણ ભારતમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પાછલા કેટલાક દિવસથી અહીં કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરી સહિત દક્ષિણના પાંચ રાજ્યોમાં સતત કેસ વધી રહ્યા છે. આ રાજ્યોના કુલ કેસનો આંકડો સોમવારે 6,985 રહ્યો છે જે કુલ કેસના 37% છે. રવિવારે આ આંકડો 7,150 હતો અને તેની ટકાવારી કુલ કેસ (19,741) સામે 36.2% રહી હતી. જૂન મહિના પહેલા બે દિવસ દરમિયાન આ રાજ્યોના કેસની ટકાવારી 22%ની નીચે રહી હતી.

પાછલા ત્રણ દિવસમાં દક્ષિણ, પોંડિચેરી સહિતના દક્ષિણના 5 રાજ્યોમાં દિવસ દરમિયાન નોંધાતા કેસમાં ઉછાલો આવ્યો છે. જેમાં તેલંગાણા અને કર્ણાટકામાં 1000 કરતા વધુ કેસ પાછલા એક દિવસમાં નોંધાયા છે.

સોમવારે તામિલનાડુમાં એક દિવસના સૌથી વધુ 3,949 કેસ નોંધાયા. કર્ણાટકામાં 1,105 નવા કેસ નોંધાયા, જે સોમવારે નોંધાયેલા 1,267 પછી બીજા નંબરના સૌથી વધુ કેસ રહ્યા, તેલંગાણામાં સૌથી વધુ 1,087 નવા કેસ શનિવારે નોંધાયા, જ્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે 813 કેસ નોંધાયા.

India Corona Updates: 28 June : 19,906 નવા કેસ

ભારતમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર દિવસેને દિવસે વધતો જ જાય છે. કોરોનાના આંકડાઓ દરરોજ એક નવો જ રેકૉર્ડ નોંધાવે છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓએ તમામ રેકૉર્ડસ તોડયા છે અને એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રવિવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 19,906 નવા કેસ નોંધાયા છે. તેમજ 410 દર્દીઓના મોત થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 5,28,859 કેસ નોંધાયા છે. જ્યારે 2,03,051 એક્ટિવ કેસ છે. તેમજ અત્યાર સુધીમાં 16,095 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. તો બીજી બાજુ, 3,09,713 લોકો સારવાર બાદ સાજા થયા છે. વિશેષ, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ પ્રમાણે 27 જૂન સુધીમાં કોરોનાના 82,27,802 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં 2,31,095 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં શનિવારે 6,368 નવા કેસ નોંધાયા હતા અને 167 લોકોના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1,59,133 થઈ ગઈ છે. જેમાંથી 67,600 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 7,273 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં શનિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, ચોવીસ કલાકમાં કોરોનાના 615 નવા કેસ નોંધાયા છે અને 18 લોકોના મોત થયા છે. રાજ્યમાં એક દિવસમાં પ્રથમ વખત 600થી વધારે કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં  રાજ્યમાં કુલ 30,773 પૉઝિટિવ કેસ નોંધાયા છે.

રાજસ્થાનમાં શનિવારે 284 નવા કેસ નોંધાયા હતા અને 11 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 16,944 થઈ ગઈ છે. જેમાંથી 3,186 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 391 લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશમાં શનિવારે 167 નવા કેસ નોંધાયા હતા અને 4 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 12,965 થઈ ગઈ છે. જેમાંથી 2,444 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 550 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશમાં  શનિવારે 606 નવા કેસ નોંધાયા હતા અને 19 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 21,549 થઈ ગઈ છે. જેમાંથી 6,685 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 649 લોકોના મોત થયા છે.

બિહારમાં શનિવારે શનિવારે કોરોનાના 302 નવા કેસ નોંધાયા હતા અને 2 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 8,980 થઈ ગઈ છે. જેમાંથી 1,992 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 58 લોકોના મોત થયા હતા.

June 25, 2020
ISRO.jpg
2min5170

Pvt sector will be enabled to carry out space activities like building of rockets, providing launch services: ISRO chief K Sivan

Government has approved the establishment of an autonomous nodal agency – Indian National Space, Promotion & Authorisation Centre – for taking independent decisions with respect to permitting & regulating the activities of private companies in space sector: ISRO Chief K Sivan

It will act as a national nodal agency for handholding and promoting private sector in space endeavours and for this ISRO will share its technical expertise as well as facilities: ISRO Chief K Sivan

Watch Live: Address by Secretary, DOS/Chairman, ISRO

Secretary, DOS/Chairman, ISRO will address at 10:30 a.m IST on Thursday June 25, 2020 from ISRO Headquarters, Bengaluru

ISRO – Indian Space Research Organisation यांनी वर पोस्ट केले बुधवार, २४ जून, २०२०
June 25, 2020
corona-gujarat.jpg
1min4080

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૭૨ કેસ ઉમેરાતાં કુલ પોઝિટિવ કેસનો આંક ૨૯૦૦૦ને પાર થઇ ગયો છે જે ૨૫મેના રોજ ૧૪૪૬૮ કેસ થયા હતા. આજે ૩૨મા દિવસે આંક ૨૯૦૦૧ થયો છે. પાછલા ચોવીસ કલાકમાં ૨૫ દર્દીઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતાં કુલ મૃત્યુ આંક વધીને ૧૭૩૬ સુધી પહોંચ્યો છે. ૨૧૦૯૬ દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સતત બીજા દિવસે પોઝિટિવ કેસનો આંક ઘટીને મહાનગરમાં ૨૦૫ અને જિલ્લાના ૧૦ મળી કુલ ૨૨૫ થયો છે.

આ જ રીતે એક ગ્રામ્યનું મળી કુલ ૧૬ દર્દીઓના મૃત્યુ થયા છે. એક તરફ અમદાવાદમાં સતત કેસમાં આંચકાજનક રીતે કેસ ઘટી રહ્યા છે તો ડાયમંડ નગરી સુરતમાં ચોથા દિવસે એકસો ઉપર કેસ નોંધાયા છે ચોવીસ કલાકમાં નવા ૧૭૨ કેસ અને પાંચ દર્દીના મૃત્યુ ઉમેરાયા છે.

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૭૨ કેસ ઉમેરાતાં કુલ પોઝિટિવ કેસનો આંક ૨૯૦૦૦ને પાર થઇ ગયો છે જે ૨૫મેના રોજ ૧૪૪૬૮ કેસ થયા હતા. આજે ૩૨મા દિવસે આંક ૨૯૦૦૧ થયો છે. પાછલા ચોવીસ કલાકમાં ૨૫ દર્દીઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતાં કુલ મૃત્યુ આંક વધીને ૧૭૩૬ સુધી પહોંચ્યો છે. ૨૧૦૯૬ દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સતત બીજા દિવસે પોઝિટિવ કેસનો આંક ઘટીને મહાનગરમાં ૨૦૫ અને જિલ્લાના ૧૦ મળી કુલ ૨૨૫ થયો છે.

આ જ રીતે એક ગ્રામ્યનું મળી કુલ ૧૬ દર્દીઓના મૃત્યુ થયા છે. એક તરફ અમદાવાદમાં સતત કેસમાં આંચકાજનક રીતે કેસ ઘટી રહ્યા છે તો ડાયમંડ નગરી સુરતમાં ચોથા દિવસે એકસો ઉપર કેસ નોંધાયા છે ચોવીસ કલાકમાં નવા ૧૭૨ કેસ અને પાંચ દર્દીના મૃત્યુ ઉમેરાયા છે.

રાજ્યના અન્ય મહાનગરોની સ્થિતિ જોઇએ તો વડોદરા મહાનગરમાં નવા ૩૫ અને જિલ્લામાંથી વધુ ૧૦ મળી કુલ ૪૫ કેસ નોંધાયા છે. સુરતની જેમ એકાએક જામનગર મહાનગર અને જિલ્લામાં સ્થિતિ વણસી રહી છે. કોરોના મહામારીમાં મે મધ્ય સુધી નિયંત્રિત સ્થિતિ ધરાવતા મહાનગરમાં સતત ત્રીજા દિવસે ૧૦ કેસ નોંધાયા છે અને વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. જિલ્લામાંથી પણ એક કેસ મળ્યો છે.

રાજકોટ મહાનગરમાંથી વધુ ૯ અને જિલ્લામાંથી ચાર મળી ૧૩ નવા કેસ ઉમેરાયા છે. ભાવનગર શહેર અને જિલ્લામાંથી મળી નવા પાંચ કેસ આવ્યા છે. ગાંધીનગર મહાનગરમાંથી બે અને જિલ્લામાંથી પાંચ મળી કુલ સાત કેસ ઉમેરાયા છે. જૂનાગઢ મહાનગર અને જિલ્લામાંથી બે બે કેસ આવ્યા છે.

આ સિવાય જિલ્લાઓમાં ભરૂચ ૧૦, આણંદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, નર્મદા ૯-૯, અરવલ્લી ૭, નવસારી ૬, કચ્છ, ગીર સોમનાથ, વલસાડ ૫-૫ તેમજ મહેસાણા અમરેલી ૪-૪ કેસ મળ્યા છે. આ ઉપરાંત મહીસાગર, પાટણ, ખેડા, છોટાઉદેપુરમાંથી ૩-૩, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ કેસ ઉમેરાયો છે. પાટણમાં બે, જામનગર મહાનગર, સાબરકાંઠા અને ગીર સોમનાથમાં ૧-૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે.

ભરૂચ જિલ્લામાં સૌથી ગંભીર સ્થિતિ ફરીથી સર્જાઇ છે. ભરૂચ શહેરમાંથી પાંચ અને જંબુસર, અકલેશ્વર, આમોદમાંથી મળી નવા ૧૦ પોઝિટિવ કેસ મળ્યા છે. આ જ રીતે જામનગર મહાનગરમાંથી ૧૨ કેસ એક સાથે મળ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થતાં કમિશનર અને કલેક્ટરે નવા આદેશો બહાર પાડ્યા છે. અમરેલીના લાઠીમાંથી પિતા-પુત્ર સહિત ચાર નવા કેસ ઉમેરાયા છે.